Wednesday, February 15, 2012

ગીર કનકાઇ સુધી એસ.ટી. બસ શરૂ : ભાવિકોનો ધસારો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 3:32 AM [IST](09/02/2012)
પાટોત્સવની તૈયારી : ચૈત્રી નોરતાનું ભવ્ય આયોજન
વિશ્વવ્યાપ્ત વિભિન્ન ૪૬ જ્ઞાતિ-સમુદાયના આધ્ય-કુળદેવી મા કનકેશ્વરીના સાક્ષાત તીર્થધામ ગીર-કનકાઇ સુધી પહોંચવા એસ.ટી. નિગમે ખાસ બે બસ શરૂ કરતા કરોડો માઇભકતોને રાહત થવા પામી છે. વિશેષ કરીને આગામી બે ક માસમાં જ પાટોત્સવ તેમજ ચૈત્રી નોરતા જેવા ભક્તિસભર આયોજનો થવાના હોય, એસ.ટી.તંત્રએ કરેલી વ્યવસ્થા અત્યંત ઉપકારી નીવડશે.
એસ.ટી.તંત્ર (જૂનાગઢ અને ધોરાજી) તેમજ ગીર-કનકાઇ મંદિર સંલગ્ન સૂત્રોના જણાવ્યાનુસાર અમરેલીથી સવારે ૮-૧૫ કલાકેથી ઉપડનારી એસ.ટી. બસ વાયા ધારી થઇ બપોરના ૧૨ વાગ્યા આસપાસ ગીર કનકાઇ પહોંચશે. આવી જ રીતે ધોરાજીથી સવારના ૭-૪૫ કલાકેથી ઉપડનારી બસ ૯-૩૦ કલાકે જૂનાગઢ ૧૦-૩૦ કલાકે વીસાવદર તેમજ ૧૦-૪૫ કલાકે સતાધાર થઇ ૧૨-૪૫ કલાકે કનકાઇ તીર્થ આવી પહોંચશે.
યાત્રિકો મા કનકાઇના દર્શન પૂજન તેમજ પવિત્ર પ્રસાદનો લાભ લઇ શકે તે માટે બન્ને બસ એક એક કલાકનો વિરામ પણ કરશે. ગીર કનકાઇ સુધી જવા એસ.ટી.એ કરેલી વ્યવસ્થાના વાવડ પ્રસરતા જ સૌરાષ્ટ્ર-ગુજરાત, મુંબઇ સહિત દેશ-વિદેશમાં વસતા માઇભકત નાથિળયા ઉનેવાળ બ્રહ્મસમાજ, શાહ અટકધારી જૈન વણિકો, માવાણી શાખધારી પટેલો, કપોળ વણિક સમાજ, ઝાલા સરનેઇમ ધરાવતા કારડિયા રાજપૂતો, દેસાઇ અટકધારી નાગર બ્રાહ્મણો, દવે શાખ ધરાવતા ઔદિચ્ય બ્રાહ્મણો, રાજુલા પંથકના વાઘ શાખધારી આહીરો તેમજ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો વગેરેમાં હરખની હેલી વ્યાપી ગઇ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-st-bus-start-to-gir-kankai-devotee-2841717.html

No comments: