Thursday, February 16, 2012

ઉના નજીક સિંહણે પેરાલિસીસનો એટેક? પૂરાઈ પાંજરે.


Source: Bhaskar News, Una   |   Last Updated 3:57 AM [IST](16/02/2012)
- ખિલાવડની સીમમાં ઇજાગ્રસ્ત સિંહણને રેસ્કયુ ટીમે પાંજરે પૂરી
- વનવિભાગની જશાધારની ટીમે ચતુરાઇથી સિંહણને પાંજરામાં લાવી
ઊના તાલુકાનાં જંગલની બોર્ડર નજીક આવેલા ગ્રામ્ય પંથકમાં સિંહોનો વસવાટ નિયમિત બની ગયો છે. ત્યારે આ વિસ્તારમાં વહિરતી એક બિમાર સિંહણને પાંજરે પૂરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. વનવિભાગે તેને પકડવા પાંજરું ગોઠવ્યા બાદ ચાલાકીથી પાંજરે પૂરી બકરીને બચાવવામાં સફળતા મેળવી છે.
ઊના તાલુકાનાં ખિલાવડની સીમમાં આવેલી સવીજભાઇ બચુભાઇ મસીયાની વાડીમાં એક ઇજાગ્રસ્ત અને બિમાર સિંહણ મકાઇની વાડમાં આવી ગયાનું અને તે ઉભી પણ ન થઇ શકતી હોવાની જાણ વનવિભાગને કરાઇ હતી. આથી જશાધાર રેન્જનાં આરએફઓ બી. ટી. આહીર વનકર્મચારીઓ અને રેસ્કયુ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. વનવિભાગે સિંહણને પકડવા વાડ પાસે પાંજરું ગોઠવી દીધું હતું. સિંહણ પાંજરા તરફ આકષૉય તે માટે તેમાં બકરું પણ બાંધી દેવાયું હતું. પરંતુ કલાકો સુધી સિંહણ પાંજરામાં આવી નહોતી.
આથી ધીમે ધીમે હાકોટા પાડી સિંહણને ધીમેધીમે પાંજરા સુધી લાવવામાં વનવિભાગને સફળતા મળી હતી. જોકે સિંહણ ઇજાગ્રસ્ત નહીં પરંતુ બિમાર હોવાનું અને તે પાછલા બે પગ પર ઉભી પણ થઇ ન શકતી હોવાનું માલુમ પડ્યું હતું.
સિંહણે પેરાલિસીસનો એટેક ?...
પકડાયેલી સિંહણને પેરાલિસીસનો એટેક આવ્યા બાદ તે પાછલા બે પગે ચાલી શકતી ન હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. જોકે, એનિમલ કેર સેન્ટરનાં તબીબોનાં પરિક્ષણ બાદ જ તેની બિમારીનું ખરું કારણ જાણવા મળી શકશે.
દરિયાઈ વિસ્તારમાં પણ હવે વનરાજાનો વસવાટ -
દેલવાડા-ઝાખરવાડા ગામ વચ્ચે આજે સાંજે રેઢીયાર ગાયનું મારણ કરી મીજબાની માણી હોવાના મોડી સાંજે અહેવાલ મળે છે આમ હવે જંગલને બદલે દરિયાઈ પટ્ટી પર વનરાજાનો વસવાટ થઈ રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

No comments: