Wednesday, February 15, 2012

ભવનાથમાં મહાશિવરાત્રીનાં મેળામાં ૧૫૦થી વધુ ધૂણા ધખશે.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:24 AM [IST](13/02/2012)
- વિવિધ અખાડાનાં સાધુ-સંતોનું જુનાગઢ તરફ પ્રયાણ
ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા મહાશિવરાત્રીનાં મેળા આડે ગણતરીનાં દિવસો બાકી છે. તે પહેલા અલગ અલગ અખાડાનાં સાધુ-સંતોએ જુનાગઢમાં આગમન કર્યું છે. અને શિવરાત્રીમાં અંદાજે ૧૫૦ થી વધુ ધૂણાઓ ચેતનવંતા થશે.
હર હર મહાદેવના નાદ સાથે મહા વદ નોમનાં દિવસે ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં સવારે ધ્વજા ચડશે અને બમ બમ ભોલેનાં ધ્વની ઘોષ સાથે મહાશિવસાત્રીનાં મેળાનો પ્રારંભ થશે. તેરસ સુધી ચાલનાર આ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડશે. દેશભરનાં અંદાજે પાંચથી સાત લાખ યાત્રાળુ ઉમટી પડશે. જુનાગઢમાં યોજાતા શિવરાત્રીનાં મેળામાં દેશભરનાં ૧૪ અખાડાનાં અને ચાર મઢીનાં સાધુ-સંતો આવશે. અને ધ્વજારોહણ સાથે ધૂણીઓ ધખાવશે.
મહાશિવરાત્રીનાં મેળા આડે હવે દશ દિવસનો સમય હોય સાધુ-સંતોનું આગમન જુનાગઢમાં થઇ રહ્યું છે. જ્યારે ઘણા સાધુઓ તો તેમની નિયત જગ્યાએ ધૂણીઓ બનાવવાનાં કામમાં પણ લાગી ગયા છે. મહાશિવરાત્રીનાં મેળા ૧૪ અખાડા અને ચાર મઢીના સાધુ-સંતો ભાગ લેશે. 
મેળા દરમિયાન વધુ ટ્રેન દોડાવવા માંગ -
જુનાગઢ રેલ્વે કન્સલ્ટેટીવ કમિટીનાં સભ્ય પ્રદિપ ખીમાણીએ વેસ્ટર્ન રેલ્વેનાં જનરલ મેનેજરને રજુઆત કરી જણાવ્યું હતું. તા.૧૪ ફેબ્રુઆરીથી ર૧ ફેબ્રુઆરી સુધી યોજાતા મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન અમદાવાદથી વેરાવળની બ્રોડગેજ રેલ્વે લાઇન તથા જુનાગઢ દેલવાડાની મીટરગેજ લાઇન પર દરરોજ ત્રણ-ત્રણ વધારાની ટ્રેન દોડાવવા તથા ચાલતી ટ્રેનમાં દરેકમાં પાંચ-પાંચ વધારાનાં કોચ જોડવાની માંગણી કરી છે.
સોરઠીયા રબારી સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે વ્યવસ્થા કરાઇ -
મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન સમસ્ત સોરઠીયા રબારી સમાજ ટ્રસ્ટ ભવન દ્વારા મેળામાં આવતા રબારી સમાજનાં જ્ઞાતજિનો માટે ભવનાથમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ પ્રમુખ ભગુભાઇ મેરામણભાઇ વાંદાએ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-more-than-150-saint-will-come-in-mahashivratri-2854070.html 

No comments: