Wednesday, February 15, 2012

ગિરનારની ગોદમાં કાલથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:06 AM [IST](15/02/2012)
- ગરવા ગિરનારની ગોદમાં માનવ કીડિયારું ઊભરાશે
- તૈયારીઓને આખરી ઓપ
ગરવા ગિરનારની ગોદમાં મહા વદ ૯ નાં દિવસે ભવનાથ મહાદેવનાં મંદિર ઉપર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો મંગલ પ્રારંભ થશે. આ મેળો ૧૫નાં દિવસે એટલે કે, મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગાબાવાની રવાડી અને મૃગીકુંડમાં શાહીસ્નાન, મહાદેવની મહાપુજા અને મહાઆરતી સાથે પુર્ણ થશે.તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
પાંચ દિવસ ચાલનારા મહાશિવરાત્રીનાં મેળામાં ‘બમ બમ ભોલે’ ‘જય ગીરનારી’નો નાદ ગુંજી ઉઠશે. આ સાથે દરવર્ષની માફક લાખ્ખો શ્રધ્ધાળુઓ જીવ અને શિવનો સાક્ષાત્કાર કરવા ભવનાથ તળેટીમાં પહોંચી જશે. આ મેળો માત્ર ગુજરાત નહીં, ભારતભરમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં ભારતભરના વિવિધ અખાડાઓનાં સાધુ સંતો મેળામાં પધારશે અને સવારે ૬ વાગ્યે ધ્વજારોહણ સાથે ધૂણાં ધખાવશે.
એ સાથેજ મેળા દરમ્યાન ભોજન અને ભજનની સરવાણી શરૂ થઇ જશે. ૩પ૦ થી વધુ ઉતારાઓમાં અન્નક્ષેત્રો પણ ચાલશે. વિવિધ ધાર્મિક જગ્યાઓ તેમજ ઉતારાઓમાં રાત્રિનાં સમયે સંતવાણી સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને લઇને રાત‘દિ એક કરાઇ રહ્યા છે.
ક્યાંથી એસટી બસ ઉપડશે ?
ઉપડવાનું સ્થળ...............................................ભાડુ
બસ સ્ટેશનથી ભવનાથ....................................૧૦રૂ.

મજેવડીથી ભવનાથ.......................................૧૦ રૂ.
રેલ્વે સ્ટેશનથી ભવનાથ.................................૧૦ રૂ.
રામનીવાસથી ભવનાથ..................................૧૦ રૂ.
આંબેડકરનગરથી ભવનાથ..............................૧૦ રૂ.
ટિંબાવાડી બાયપાસ થી ભવનાથ.........................૧પ રૂ.
અહીં રહેશે વાહન પાકિઁગ -
૧) મનપાની સીટી બસો - રૂપાયતનનાં પાટિયા પાસે
૨) એસટી બસો - જિ.પં. ગેસ્ટ હાઉસ સામે
૩) રીક્ષા માટે - રૂપાયતનનાં પાટિયા પાસે
૪) મોટરસાઇકલ માટે - દુધેશ્વરની જગ્યાની પશ્ચિમે
૫) ખાનગી/લકઝરી બસો અને ટ્રકો માટે - અ) સાયન્સ મ્યુઝિયમની સામે, બ) નીચલા દાતાર પાસેનાં મેદાનમાં, ક) નીચલા દાતાર પાસે મેર નાગાજણની વાડીમાં, ડ) દીપકભાઇ યાદવની વાડીમાં.
૬) ફોર વ્હીલ વાહન માટે - પ્રકૃતિધામ પટેલ સમાજની વાડીમાં
રિક્ષા કરતાં એસટી ભાડું એકરૂપિયો મોંઘું -
તંત્ર દ્વારા મેળા દરમિયાન રિક્ષાભાડાનું બાંધણું કરવામાં આવ્યું છે. જેમાં ૯ થી લઇને ૧૪ રૂપિયા સુધીનું ભાવ બાધણું થયું છે. જ્યારે એસ.ટી.બસનું ભાડું ૧૦ થી ૧પ રૂપિયા સુધીનું નક્કી થયું છે. જે રિક્ષા ભાડા કરતા એક રૂપિયો વધારે છે.
મેળા દરમિયાન ૧૫૦ એસટી બસો દોડશે -
મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન જૂનાગઢ એસટી દ્વારા ૧૫૦ બસો વધુ ફાળવવામાં આવી છે. જેનો તા.૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. જે મેળાની પૂણૉહુતિ સુધી ચલાવવામાં આવશે. એસટી નિગમે જૂનાગઢથી જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, અમદાવાદ, મહુવા પરત જવા માટે પણ વ્Ûવસ્થા ઉભી કરી છે.
મેળામાં જવા અહીંથી એસટી મળશે -
જૂનાગઢનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેશન, મોતીબાગ પાસે, રેલ્વે સ્ટેશન, જનતા ચોક, દુબડી પ્લોટ, ગિરનાર દરવાજા પાસે, રામ નિવાસ, મજેવડી દરવાજા, બિલનાથથી એસ.ટી. તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-shivratri-fairs-start-from-tomorrow-in-girnar-2861892.html

No comments: