Wednesday, February 15, 2012

જૂનાગઢમાં શિવરાત્રિનાં મેળા માટે ‘મહા’ તૈયારીઓ.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:23 AM [IST](13/02/2012)
- ઊતારા મંડળો, અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓએ મીટિંગોનો દોર આરંભી દીધો
ગરવા ગિરનારની ગોદમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો એટલે ભજન, ભોજન અને મનોરંજનનો ત્રિવેણી સંગમ. દર વર્ષે જેમાં આશરે ૧૦ થી ૧૨ લાખ લોકો આવે છે એ મહાશિવરાત્રિનાં મેળામાં ધૂણી ધખાવતા નાગાબાવા, જટાળા જોગીઓ, અવધૂતો, હઠયોગીઓની સાથે ઉતારા, અન્નક્ષેત્રો અને સંતવાણી તેનાં અભિÌા અંગો છે. જો આ અંગો ન હોય તો મેળો ‘સૂનકાર’ સમો ભાસે.
મેળો જેવડો મોટો હોય છે એવી જ ગંજાવર હોય છે તેની તૈયારીઓ. અને તેથીજ સેવાભાવી સંસ્થાઓ મેળાનાં ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી મીટિંગોનો દોર શરૂ કરી દે છે. અત્યારે મોટાભાગની તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી ચૂકી છે. 
 મેળો અને પરિક્રમામાં દાયકાઓથી લાખ્ખો લોકોને જમાડવાનું કામ કરતી સંસ્થાઓની ‘મહા’ તૈયારીઓ પણ જાણવા જેવી હોય છે. આવી એક સંસ્થા ખોડીયાર રાસ મંડળનાં પ્રમુખ જાદવભાઇ મોહનભાઇ કાકડીયા કહે છે, અમે ખરીદીની કામગીરી આટોપી લીધી છે.
મેળા દરમ્યાન લાખ્ખો લોકોને જમાડવા હોય તો બુંદી-ગાંઠીયા-ખમણ માટે કુલ ૨૦૦ બાચકાં વેસણ, રોટલી મટો ૭૫ મણ ઘઉંનો લોટ, ૧૫૦ મણ ખીચડી, ૫૦ ડબ્બા રાજકોટ ડેરીનું ઘી, ૧૫૦ ડબ્બા તેલ, ૮૦ બાચકાં બટેટાં, ૧૦ મણ ડુંગળી, ૨૦ મણ રવો, ૫૦૦ કિલો ગાજર, ૩૦૦ કિલો છાશનો પાવડર, ૭૫ કિલો ચાની ભૂકી, વગેરે જોઇએ. શાક રોજેરોજનું આવે. આ ઉપરાંત તા. ૧૪ નાં રોજ ૩૦૦ કિલો લાલ મરચાં અને ગાજરનું અથાણું એક સાથે બની જશે.
અમારે ત્યાં ૨૫૦ થી ૩૦૦ કાર્યકરો સેવા આપે છે. જેમાં ચા વિભાગ, રસોડાં વિભાગ, પીરસણીયાનો વિભાગ અને મિષ્ટાન્નનો એમ કુલ ચાર વિભાગો છે. આ કાર્યકરો પૈકી જેઓ નોકરી કરતા હોય તેઓ એટલા દિવસની રજા અગાઉથીજ મૂકી દે. જ્યારે ધંધો કરનારા વૈકલ્પિક વ્યવસ્થા કરી દે. મેળા વખતે આ કાર્યકરોમાંથી ૨૫ લોકો સતત રોટલી વણવા, ફેરવવા, ચોપડવા અને સપ્લાયની કામગીરી કરે, ૨૫ લોકો સતત ખમણ જ બનાવે તો મિષ્ટા અને ફરસાણ હંમેશાં રાત્રિનાં સમયે જ બને. આ બધા આગામી મેળામાં આવવા થનગની રહ્યા છે. ખોડીયાર રાસ મંડળનાં જ ભીખાભાઇ આંબલિયા કહે છે, ઘરનાં લગ્ન કરતાંવધુ મોટા પાયે તૈયારીઓ આમાં કરવાની હોય છે. તા. ૧૫ ફેબ્રુ. એ સાંજ સુધીમાં અમે સામાન સાથે ભવનાથ પહોંચીશું અને તા. ૧૬ મીથી ‘હરિહર’ શરૂ થઇ જશે.
આ તો થઇ એક અન્નક્ષેત્રની વાત. આવાં તો અનેક અÌાક્ષેત્રો ચાલશે. દરેકમાં આવીજ રીતે તૈયારીઓ થઇ રહી છે. સેવાભાવી લોકો મેળામાં આવવા અને જીવને શિવમાં લીન કરી દેવા તત્પર બની રહ્યા છે.
સેવા એ જ અમારી ભક્તિ -
રાજકોટનાં એક સેવાભાવી કહે છે, સેવા કરવા આવીએ અને પાંચ દિવસ કામ કરીએ. એટલે વર્ષભરની ઉર્જા મળી જાય. લાખ્ખો માણસોની ભીડ અને કોલાહલમાં પણ મનને અજબ જેવી શાંતિની અનુભૂતિ થાય. એજ તો છે આ મેળાની વિશેષતા
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-big-preparation-of-shivratri-in-junagadh-2854066.html 

No comments: