Friday, February 17, 2012

ધારી નજીક બિમાર સિંહણને પકડી સારવારમાં ખસેડાઇ.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 1:38 AM [IST](17/02/2012)
- ૨૪ કલાકમાં વનતંત્રએ બે બિમાર સિંહણને પાંજરે પુરી
ધારી તાલુકાના રાજસ્થળી ગામે એક સિંહણ બિમાર અવસ્થામાં આંટા મારતી હોવાની બાતમી મળતા દલખાણીયા રેંજના સ્ટાફે આ બિમાર સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે.
ગીર પૂર્વની જસાધાર રેંજમાં ગઇકાલે એક બિમાર સિંહણને પકડી સારવાર માટે ખસેડાયાની ઘટના તાજી છે ત્યાં આજે ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં વધુ એક સિંહણ બિમાર હોવાની બાતમી મળતા દલખાણીયા રેંજના આરએફઓ ઠાકર, સ્ટાફના નિલેષભાઇ વગેરેએ આ સિંહણને પકડવા સીમમાં પાંજરૂ ગોઠવ્યુ હતું.
પુખ્ત ઉંમરની આ સિંહણ પાંજરામાં સપડાઇ જતા તેને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ છે. ગીરની શાન સમા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. સાવજોના કમોતની જેમ એક પછી એક ઘટનાઓ બહાર આવે છે તેવી જ રીતે બીમાર કે ઘાયલ સાવજોની સંખ્યા પણ વધી રહી છે.
બીમાર કે ઘાયલ સિંહ-સિંહણને સમયસર સારવાર મળી જાય તો વાંધો નથી આવતો પરંતુ તેમની બિમારી કે ઇજા વનતંત્રની જાણ બહાર રહે તેવા સંજોગોમાં તેમના પર જોખમ વધી જાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-caugt-in-cage-near-dhari-2871665.html

No comments: