Wednesday, April 11, 2012

ઊનાના ગામડામાં યોજાય છે રોજ ‘લાયન શો’.


Source: Bhaskar News, Una   |   Last Updated 12:58 AM [IST](05/04/2012)
જંગલ વિસ્તાર નજીકનાં ગામડાઓમાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓનો કાયમી વસવાટ
ઊના પંથક જંગલ વિસ્તારની નજીક આવેલો હોય છેલ્લા ઘણા સમયથી સિંહ સહિતનાં વન્યપ્રાણીઓએ આ પંથકમાં વસવાટ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વનરાજો દ્વારા ગ્રામ્ય પંથકમાં થતાં મારણને કારણે લોકોને કાયમ લાયન શો જોવા મળી રહે છે.

ઊના તાલુકાનાં ૩પથી વધુ ગામડાઓ જંગલ વિસ્તારની નજીક આવેલા છે. જેને કારણે છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં વન્યપ્રાણીઓનો વસવાટ શરૂ થયો છે. જેમાં સાવજો પણ બાકાત નથી. સિંહને નિહાળવાનો રોમાંચ જ અલગ હોય છે. તેમાં પણ જ્યારે તે પોતાનાં પરિવાર સાથે મારણની મિજબાની માણી રહ્યો હોય ત્યારે આ સાવજ પરિવારને જોવા લોકોનાં ટોળા ઉમટી પડતા હોય છે. જંગલ વિસ્તાર નજીકનાં ઊના પંથકનાં આ ગામડાઓમાં સિંહનો વસવાટ કાયમી જેવો થઇ ગયો છે.

જેને કારણે લોકોને કાયમી સિંહ જોવા મળી રહે છે. તેમજ સિંહ દ્વારા મારણ કરવામાં આવે ત્યારે લોકો એક બીજાને ફોન પર સંપર્ક કરી સાવજો મજિબાની માણતા હોય તે નજારો જોવા બોલાવતા હોય છે. જંગલ વિસ્તાર હવે સાવજો તેમજ અન્ય પ્રાણીઓ માટે ટૂંકો પડી રહ્યો હોય તેમ આ પંથકમાં દપિડાઓની રંજાડ બાદ સાવજોએ કાયમી વસવાટ શરૂ કર્યો છે.

તેમાં પણ ઊનાળાની મોસમમાં સમી સાંજનાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ ટહેલવા નિકળી પડે છે. ત્યારે શરૂ થાય છે લાયન શો. ગ્રામ્ય વિસ્તારમાં આ સિંહને જોવા લોકોનાં ટોળા ઉમટી પડે છે. અને આ સમય દરમિયાન વનવિભાગ પણ લાચાર બની જાય છે. જો જંગલ વિસ્તારમાં આ રીતે લાયન શો જોવા લોકો પહોંચે તો વનવિભાગ તરફથી કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. પરંતુ રેવન્યુ વિસ્તારમાં સાવજો જાતે મારણ કરતા હોય અને લોકો જોવા એકઠા થઇ જાય ત્યારે વનવિભાગે સિંહ દ્વારા હુમલો ન થાય કે લોકો સિંહને કાંકરીચાળો ન કરે તે માટે સતત તકેદારી રાખવી પડે છે. પંથકમાં વહિરતા સાવજોની રખેવાળી માટે તેની પાછળ વનવિભાગને પણ રખડવું પડે છે.

સિંહ ગૃપની લાંબી સફર
તાજેતરમાં ચાર સિંહબાળ અને એક માદાનાં ગૃપે આમોદ્રામાં ધામા નાંખ્યા હતા. ત્યાં એક આધેડ પર હુમલો કર્યા બાદ આ ગૃપ દરીયાઇ વિસ્તારમાં આવેલા વાંસોજ ગામ પાસે પહોંચ્યુ હતું. જ્યાં બે દિવસ રોકાયા બાદ તે કેસરીયા તરફ ગયું હતું.

લાયનશોમાં વનખાતુ રહે છે ખડે પગે
હાલના સમયમાં સિંહે ગ્રામ્ય પંથકમાં કે સીમ વિસ્તારમાં વસવાટ કર્યો હોય સાંજ પડેને પાણી પીવા કે શિકાર માટે બહાર નીકળે છે. ત્યારે શરૂ થાય છે લાયન શો. જેને જોવા લોકોનાં ટોળા ઉમટી પડે છે. જેથી તે સમયે વનખાતાએ ખડેપગે રહી લોકોની અને સિંહની રખેવાળી કરવી પડે છે.

No comments: