Wednesday, April 11, 2012

સસલાં-તેતરનો શિકાર કરવાની ના પાડતાં છરી ઝીંકી.

Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 2:51 PM [IST](09/04/2012)
જૂનાગઢના કાળવા ચોકમાં સરાજાહેર યુવાનને છરી મારી હોકી વડે લમધાર્યો
જૂનાગઢના આંબલિયા ગામે દલિત યુવાનના ખેતરમાં તેતર અને સસલાનો શિકાર કરવા ગયેલા એક શખ્સને વાડીમાલિકે શિકાર કરવાની ના પાડી હતી. આ વાતનું મનદુ:ખ રાખી એ શખ્સે વાડી માલિક જૂનાગઢ આવ્યો ત્યારે લાગ જોઇ છરી ઝીંકી હોકી વડે માર માર્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ તાલુકાના આંબલિયા ગામે આવેલી જેન્તી રામ રાઠોડ (ઉ.૩૨) નામના દલિત યુવાનની વાડી આવેલી છે. ગઇકાલે ગામનો અમૃત ઉર્ફે અમલો નાજા દેવી પૂજક તેની વાડીમાં સસલાં અને તેતરનો શિકાર કરવા આવ્યો હતો. પરંતુ જેન્તીએ પોતાની વાડીમાં આવી પ્રવૃત્તિ કરવાની ના પાડી હતી. આથી અમલો ઉશ્કેરાયો હતો. અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

બાદમાં ગઇકાલે જ બપોરે બે વાગ્યે બંનેનો ભેટો જૂનાગઢનાં કાળવા ચોકમાં થઇ ગયો હતો. આથી અમલાએ પોતાનાં બે સાગરિતો સાથે મળી જેન્તીને અટકાવ્યો હતો. અને તેને પેટમાં છરી ઝીંકી દીધી હતી. જ્યારે તેની સાથેનાં બે અજાણ્યા શખ્સોએ તેને હોકી વડે માર માર્યો હતો. આથી જેન્તીએ બનાવ અંગે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ડી. એચ. ટાટમીયાએ ગુનો નોંધ્યો હતો. જોકે, જેન્તીને અમૃત ઉર્ફે અમલાએ જ્ઞાતિ પ્રત્યે પણ હડધૂત કર્યો હોઇ બનાવની તપાસ એસસીએસટી સેલનાં ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.

No comments: