Saturday, April 28, 2012

સક્કરબાગને બે ગધેડાને બદલે મળ્યાં બે શાહમૃગ ને બે વાંદરા!


Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 5:47 PM [IST](27/04/2012)
-બે જંગલી ગધેડાનાં બદલામાં ચેન્નઇથી લવાયા છે

જૂનાગઢ સક્કરબાગમાં બે શાહમૃગ અને બે નીલગીરી વાંદરા ચેન્નઇથી બે જંગલી ગધેડાનાં બદલામાં લવાયા છે. જે ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.

જૂનાગઢ શહેરમાં આવતા પ્રવાસીઓ ચોક્કસ સક્કરબાગની મૂલાકાત લે છે. સક્કરબાગમાં ગીરનાં સિંહથી લઇ વિદેશનાં પશુ-પક્ષી સહિતનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. જેને નિહાળવા દુર-દુરથી પ્રવાસીઓ તેમજ શૈક્ષણિક પ્રવાસ આવે છે અને પ્રવાસીઓ માટે અહીંયા અવાર-નવાર બહારથી પ્રાણી લઇ આવી ઉમેરો કરવામાં આવે છે.

તાજેતરમાં જ પોકેટ મંકીનું પાંજરૂ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ પોકેટ મંકી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે સક્કરબાગમાં વધુ ચાર પ્રાણીને અન્ય રાજ્યમાંગી લાવવામાં આવ્યા છે. જેને ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.

સક્કરબાગનાં બી.જે. રાણાએ જણાવ્યું હતુ કે, બે જંગલી ગધેડાનાં બદલામાં ચેન્નઇથી બે શાહમૃગ અને બે નીલગીરી વાંદરા લઇ આવવામાં આવ્યા છે. જેનું પાંચ દિવસ પહેલા સક્કરબાગમાં આગમન થઇ ગયું છે અને ટૂંક સમયમાં જ તેને પ્રવાસીઓ નિહાળી શકશે. હાલ તેમને અહીંયાનું વાતાવરણ માફક આવે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.

No comments: