Friday, April 13, 2012

સૂકાભઠ્ઠ કામનાથ ડેમથી નોધારા બનેલા પક્ષીઓ.


ધારી, તા.ર૯:
અમરેલીના કામનાથ ડેમમાં સ્થાયી થઈ રહેલા પક્ષીઓ માટે ખોરાક અને રક્ષણાત્મક રહેઠાણ બની રહેલા ડેમનું આ વણજાહેર થયેલુ પાણીવિહોણુ પક્ષી અભયારણ્ય અત્યારે તો ખોરાકથી વંચિત અને શિકારીકૂતરાઓને હવાલે થયેલુ છે, ત્યાં સ્થિર થયેલા ભાત ભાતના અસંખ્ય પક્ષીઓ નોધારા બની ગયા છે.
  • શિકારી કૂતરાંનું ભોજન બનતા નિર્દોષ પક્ષીઓ
ડેમમાં જાતજાતના દેશી-વિદેશી પક્ષીઓની ભરમાર છે. છેલ્લા સાતેક વર્ષથી સ્થાયી બનેલા એકમાત્ર પેલીકન પક્ષીની વનખાતાએ દરકારની લેવાની આવશ્યકતા છે. શહેરના ગીચ વાતાવરણની વચ્ચે ખાલી પડેલા ડેમના છીછરા પાણીમાં યાયાવર પક્ષીઓ માટે ઉત્તમ ખોરાક અને રહેણાંકની સગવડ ઉભી થતાં વનખાતાએ લુપ્ત થતાં પક્ષીઓની જાળવણી કરવા ડોકીયું કરવાની જરૂર છે. પક્ષીઓ વધુ ઉછરે અને પક્ષીઓના ઈંડા તેમજ બચ્ચાઓને કોળીયો કરવા કાંઠે પડયા રહેતા કૂતરાઓને હટાવવા જરૂરી છે.
વન ખાતાએ ડેમના સ્ત્રાવ એરિયામાં બોર કરીને તળાવનો મુખ્ય ખાડો પમ્પીંગ દ્વારા પાણીથી ભરી રાખી તેમજ ખોરાકની વ્યવસ્થા કરી પક્ષીઓને ઉનાળો પસાર કરાવવો જરૂરી છે. ચોમાસામાં પાણી ભરેલા આ ડેમ અને તેમાં વિહરતા પક્ષીઓનો નજારો કંઈક ઓર અને અલભ્ય જ હોય છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=47523

No comments: