Wednesday, April 11, 2012

ઉપરકોટમાં આયુર્વેદિક અને અલભ્ય વૃક્ષોનો ઉછેર થશે.

Source: Bhaskar News, Uparkot   |   Last Updated 12:16 AM [IST](05/04/2012)
આઠ હેકટર વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ
જુનાગઢની ધરોહર ઉપરકોટ ઝાળી ઝાખરાથી ઘેરાય ગયો હતો. જેની સફાય કરી ડ્રીપ એરીકેશન પધ્ધતિથી આયુર્વેદીક અને અલભ્ય ૧૦ હજાર વૃક્ષોનો ઉછેર કરાશે. જુનાગઢનાં ઉપરકોટની દર વર્ષે સેકડો પ્રવાસીઓ મૂલાકાત લે છે અને વધુ લોકોને આકર્ષવા પ્રવાસન અને વિસ્તરણ વનવિભાગે કવાયત હાથ ધરી છે. ઉપરકોટમાં પથરાયેલા જંગલને સાફ કરી અહીંયા ૧૦ હજાર જેટલા આયુંવેદીક અને અલભ્ય વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે.

આ અંગે ફોરેસ્ટર હિંગળાજીયાએ જણાવ્યું હતું કે, નાયબ વનસરક્ષક કટારા અને આરએફઓ એ.સી. ટીલાળાની સીધી દેખરેખ નીચે ઉપરકોટની સફાઈ હાથ ધરવામાં આવી છે. અહીયાનાં આઠ હેકટર જેટલા વિસ્તારને સાફ કરી ડ્રીપ એરીકેશન પધ્ધતિથી આયુંવેદીક અને અલભ્ય ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે. રોપા વચ્ચે ત્રણ બાઈ ત્રણની જગ્યા રાખી વાવેતર કરાશે.
આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ઉપરકોટ આવતા પ્રવાસીઓને આયુંવેદીક વૃક્ષો અને અલભ્ય વૃક્ષોની માહીતી મળે છે.

No comments: