Saturday, April 14, 2012

વન વિભાગનાં જાપ્તામાંથી આરોપી ફરાર.


Source: Bhaskar News, Una   |   Last Updated 1:59 AM [IST](14/04/2012)
ગત રાત્રિના કુદરતી હાજતે જવાનું કહી પલાયન થઈ જતા ભારે દોડધામ મચી

ઊનાનાં ફરેડા ગામનાં સરપંચનાં પતિ સહિત ૩૦ થી ૪૦ જેટલા શખ્સોએ માખણીધાર વિસ્તારમાં આવેલી સરકારી જમીનનાં પીલોર તોડી નાંખ્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સરપંચ અને તેના એક સાગરીતને વનવિભાગે ઝડપી લઇ કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં તમામ વનવિભાગની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં સરપંચપતિના સાગરીતે કુદરતી હાજતે જવાનું કહી નાસી છુટતા દોડધામ મચી ગઈ હતી.

ઊનાનાં ફરેડાનાં ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીન બાબતે વિવાદ ચાલે છે. જેથી તા.૨૬ ફેબ્રુઆરીના રોજ વનકર્મી દપિકભાઇ સોંદરવા પોતાની ફરજ ર હતા. ત્યારે રફેડા ગામનાં સરપંચનો પતિ જેઠા રામ બારૈયા અને ભૂપત ખીમા મકવાણાએ તેની સાથે ગાળા ગાળી કરી ફરજમાં રૂકાવટ કરી હતી.

જ્યારે બીજા દિવસે આ બન્ને શખ્સ સહિત ૪૦ થી પ૦ જેટલા લોકોએ માખણીયાર વિસ્તારમાં આવેલી સરકારી જમીનનો પીલોર તોડી નાખ્યો હતો. જે અંગે દિપકભાઇએ ફરજમાં રૂકાવટ કર્યાની અને સરકારી જમીનમાં નૂકશાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેનાં વિરોધમાં ફરેડા ગામનાં ૩૦૦ થી વધુ લોકોએ આ ફરિયાદ ખોટી હોવાનાં આક્ષેપ સાથે ગીરગઢડા પોલીસ સ્ટેશને એકત્ર થયા હતા.

પોલીસે જેઠાભાઇ બારૈયા અને ભૂપતની ધરપકડ કર્યા બાદ બંન્ને શખ્સોને ઊના કોર્ટમાં રજૂ કરતા તેમને જામીન મળી ગયા હતા. પરંતુ સરકારી જમીનમાં નૂકશાન કર્યાની ફરિયાદ થઇ હોય ફોરેસ્ટ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હોય ફોરેસ્ટ એક્ટ હેઠળ બાબરીયા રેન્જનાં આરએફઓ પરમારે આ બંન્નેની ધરપકડ કરી વનવિભાગની કચેરીએ લઇ ગયા હતા.

રાત્રીનાં ૮ વાગ્યાના અરસમાં ભૂપતે કુદરતી હાજતે જવાનું કહેતા તેને એક કર્મચારી સાથે મોકલ્યો હતો. જે ઘણીવાર થવા છતાં પરત ન આવતા વન વિભાગનાં અધિકારી સહિતનાએ દોડધામ આદરી હતી.

આજે આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાનાં હોય વનવિભાગના અધિકારીઓએ જેઠા બારૈયાએ કોર્ટમાં રજૂ કરતા તેનો જામીન પર છુટકારો થયો હતો. જ્યારે અન્ય આરોપી પોતાના કબ્જામાંથી નાસી છુટયો હોવાનું અધિકારીએ કોર્ટ સમક્ષ કબૂલાત આપતા ચકચાર જાગી છે.

No comments: