Wednesday, April 11, 2012

બૃહદગીરમાં આગજનીનું મૂળ સરકારી વીડીઓનો ગેરવહિવટ.


અમરેલીતા.૯ :
બૃહદ ગીર જંગલમાં અવિરત બનેલી આગજનીની ઘટનાઓ કુદરતી નહી પણ માનવ સર્જિત છે. આ વિસ્તારમાં આવેલી સરકારી બીડમાં ઉગતો બાવળ રાષ્ટ્રીય સંપત્તિ સમા સિંહના ભોગે સળગાવીને તેમાંથી કોલસા બનાવીને વેચવાના કાળા વહિવટમાં વનતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના હાથ કાળા થયેલા છે.
  • બૃહદગીરની સરકારીબીડમાં ઉગતા બાવળ સળગાવી કોલસા બનાવવાના કાળા વહિવટમાં વન તંત્રના હાથ પણ કાળા થઈ ગયા છે
બૃહદ ગીર તરીકે ઓળખાતા નાના લીલિયા વિસ્તારમાં સરકારી બીડ આવેલી છે. અહીં દેશી બાવળ અને ગાંડા બાવળ પુષ્કળ પ્રમાણમાં ઉગતા હોય વનતંત્રને તેને સળગાવીને કોલસા પકાવવાનો કાળો વહિવટ આરંભ્યો છે.ક્રાંકચ, ટીંબડી, ભોરીંગડા, વાઘણીયા, બવાડી જેવા ગામો બૃહદ ગીરની પટ્ટીમાં આવેલા છે. આ પટ્ટો શેત્રુજી નદીના કાંઠાનો પટ્ટો છે. અહીં ક્ષારવાળી જમીન હોવાથી પાક લઈ શકાતો નથી. પણ ક્ષારવાળી જમીનના કારણે પચાસ ટકા સરકારી ગૌચર અને પચાસ ટકા ખાનગી જમીનમાં ગાંડો બાવળ અને દેશી બાવળ પુષ્કળ ઉગે છે.
સરકારે ગાંડો બાવળ કાપવાની છૂટ આપી છે દેશી બાવળ કાપવા પર પાબંદી લાદી દીધી છે. આથી આવા દેશી બાવળ સળગાવી દેવામાં આવે છે. અને તેને આગનું સ્વરૂપ આપી દેવામાં આવે છે.વનખાતાના કેટલાક કર્મચારીઓ આવા સળગી ગયેલા દેશી બાવળ કાપી તેમાથી કોલસા બનાવવાનો કાળો કારોબાર ચલાવે છે.વનખાતાના કર્મચારીઓ દ્વારા દેશી બાવળનું લાકડુ એક મણના રૂ. એંસીના ભાવે વેચે છે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. શેત્રુજીના કાંઠે બૃહદ ગીરમાં જયાં સિંહોનો વધુ વસવાટ છે. તેવા વિસ્તારોમાં દેશી બાવળ વધુ થાય છે.
આથી કોલસાનો કાળો વહિવટ સિંહના ભોગે ચલાવી સંપતિ એકઠી કરવા વન કર્મીઓ દ્વારા આગ લગાડવામાં આવે છે.
આ વિસ્તારમાં બનાવાયેલી પાણીની કુંડીઓ પણ છીછરી અને ટુંકી બનાવાઈ છે. તેમાં પાણી ભરવા રૂ. ચારસોની કિંમતનો એક ટાંકો મંગાવાય છે.
આ માટે જેને કોન્ટ્રાકટ અપાયો છે તે પણ કુંડીમાં પુરતુ પાણી ભરતા નથી અને પુરા નાણાં પડાવી લે છે. તેવું સુત્રોનું કહેવું છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=49251

No comments: