Friday, June 8, 2012

ગીર અભયારણ્યમાં ૧૬ જૂનથી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 4:30 PM [IST](06/06/2012)

ગીર અભ્યારણમાં સિંહ મેટિંગ પીરીયડમાં હોય તેમા ખલેલ ન પહોંચે તે માટે અભ્યારણમાં ૧૬ જુનથી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે. ગીર અભ્યારણ સહિત જંગલ વિસ્તારમાં ૧૬ જૂનથી ચોમાસાની ઋતુ દરમિયાન સિંહ મેટિંગ પીરીયડ હોય છે અને સિંહ સંવર્ધન માટે ચોમાસા દરમિયાન કોઈ વિક્ષેપ કે ખલેલ ન પહોંચે તેને ધ્યાને લઈ પ્રવાસીઓ માટે ગીર અભ્યારણમાં સહેલાણીઓ માટે પ્રવેશ બંધ કરાવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સાસણના નાયબ વન સરંક્ષક ડૉ.સંદપિ કુમારે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર વન્ય પ્રાણી અભ્યારણ અને રાષ્ટ્રીય ઉધ્ધાન સિંહ સંવર્ધનની શ્રેષ્ઠ ઋતુ ચોમાસા દરમિયાન તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઘટતી જતી સિંહોની વસ્તીને ધ્યાને લઈને દેશભરનાં અભ્યારણોમાં સંવર્ધનની મૌસમ દરમિયાન પ્રવેશબંધી રહેતી હોય છે.

No comments: