Monday, June 11, 2012

ખેતર અને વાડીમાં એક લાઈન બાજરા-જુવારની વાવવા અપીલ.


રાજકોટ, તા.૯ :
પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. પક્ષીઓ આપણી આહાર જાળની મહત્વની કડી છે. તેની સંખ્યા જળવાય રહે તે માટે નવરંગ નેચર ક્લબે ખેડૂતોને ખેતર અને વાડીમાં જુવારની એક લાઈન વાવવા અપીલ કરી છે. આવતીકાલની ચિંતામાં માનવે પર્યાવરણનું શોષણ કર્યું છે. સમય જતાં રોકડીયા પાકની ઉપજ લેવામાં અને જંતુનાશક દવાના ઉપયોગથી પ્રણાલીગત ખેતીની પધ્ધતિમાં ફેરફાર થયો છે. જુવાર અને બાજરા જેવા બરછટ અનાજની ખેતી ઘટતા પક્ષીઓનો ખોરાક ઘટયો અને પરિણામે
  • નવરંગ નેચર ક્લબનું સ્તુત્ય કાર્ય
  • નિર્દોષ અને અબોલ પક્ષીઓ કાજે
પક્ષીઓ ઘટયા. ચોમાસુ નજીકમાં છે ત્યારે કોઈપણ પાક લેતા ખેડૂત ખેતરના શેઢે બે-ત્રણ ચાસમાં જુવાર કે બાજરો વાવે તેવી અપીલ ક્લબે કરી છે. જેની લણણી કર્યા વગર ભગવાનના ભાગ તરીકે રાખી મૂકવાથી પક્ષીઓને ખોરાક મળતો રહેશે. ખેતરમાં આવનારા પક્ષીઓ આ અનાજના દાણા ખાવાની સાથે ઉપદ્રવી ઈયળોનો પણ નાશ કરશે. તેથી જંતુનાશક દવાનો ખર્ચ પણ ઘટશે.૨૦૦૯થી શરૂ થયેલા આ અભિયાનમાં સૌરાષ્ટ્રના ૧૮,૦૦૦ ખેડૂતોએ તેમના ખેતરમાં એક ચાસ પક્ષીઓ માટે અનામત રાખ્યો હતો.
૨૦૧૦માં આ સંખ્યા વધીને ૪૦,૦૦૦, ૨૦૧૧માં ૫૦,૦૦૦ થઈ હતી. હવે ચાલુ વર્ષમાં એક લાખ ખેડૂતો જોડાય તેવી આશા વ્યક્ત થઈ છે.

No comments: