Friday, June 29, 2012

વરસાદના છાંટા પડતા સિંહોનું શેત્રુંજીના પટ્ટમાંથી ડૂંગરાળ વિસ્તારમા સ્થળાંતર.


સાવરકુંડલા,તા.ર૮
વર્ષારાણીના આગમન પૂર્વે માનવજાત રહેણાક મકાનોનાં સમારકામમા લાગી જાય છે જયારે જંગલના રાજા સાવજની પણ સીકસ સેન્થ કેટલી કાબીલેદાદ છે કે આઠ આઠ માસ શેત્રુંજી નદીના પટમાં પડયા પાથર્યા રહેતા સાવજો વરસાદના એકાદ છાંટાથી અત્યારથી પોતાનું નવું રહેણાંક ડુંગરાળ વિસ્તારમાં વસાવી ઠરીઠામ થઈ ગયા છે.
  • દરેક પ્રાણીઓમાં ઋતુ મુજબ ફેરફાર આવે જ છે
સાવરકુંડલાના જુનાસાવરથી ક્રાંકચ અને શેત્રુંજી નદીના પટના વિસ્તારોમાં રર જેટલા જંગલના રાજાઓએ વસવાટ કરીને પોતાનું અલગ જ સામ્રાજય ઉભુ કરી દીધુ છે. ક્રાંકચનો શેત્રુંજીનો વિસ્તાર ખુબ જ મોટો હોવાથી જંગલના રાજા સાવજોને માફક આવી ગયું છે. ચોમાસાનાં આગમન અંગેના વરસાદના છાટાના સંકેતો આ સાવજોને પોતાના રહેણાંક વિસ્તાર ફેરવવા માટે મજબુર કરી દીધા અને શેત્રુંજીના પટમાથી ડુંગરાળ વિસ્તારોમાં પોતાનું જીવન ગુજારી રહયા છે. થોડા વર્ષો પહેલા શેત્રુંજી નદીના પાણીમાં પૂરના પ્રકોપથી ચાર ચાર સાવજોના મૃતદેહો મળ્યા હોવાનું જાણવા મળે છે. આથી આ સિંહ કેરસીઓ ચોમાસાના આગમન પૂર્વે જ પોતાનું રહેણાંક વિસ્તાર છોડી ને અનય વિસ્તારોમાં પગપેસારો કરી દીધો છે. આ અંગ અમરેલી જિલ્લા વિભાગના નાયબ ડી.અફે.ઓ. મીલીન્દ એમ. મૂનીના જણાવ્યાનુસાર જેવી રીતે માનવજાતની સિકસસેન્થ હોય છે તેવી જ રીતે દરેક વન્યપ્રાણીઓની પણ સિકસસેન્થ હોય છે. અને પોતાના ભવિષ્યને અનુલક્ષીને દરેક પ્રાણીઓમાં ઋતુ મુજબ ફેરફાર આવે જ છે. જયારે જંગલોના રાજા આ શેત્રુંજીના વિસ્તારો મુકી ડુંગરાળ વિસ્તારોમાં પગદંડો જમાવવાથી વનિવભાગ સાથે સિંહપ્રેમીઓ પણ આનંદનો અહેસાસ અનુભવી રહયા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=68949

No comments: