Saturday, June 9, 2012

કુદરતની મહેરબાનીથી સાવજોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 6:42 PM [IST](08/06/2012)
અમરેલી જીલ્લાના લોકો ભલે પાણીની કારમી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય પરંતુ સાવરકુંડલા તાલુકાના મીતીયાળા અભ્યારણ્યની આસપાસના વિસ્તારમાં વસતા અઢારથી વીસ જેટલા સાવજોનો પાણી પ્રશ્ન કુદરતે એક જ ઝાટકે હલ કરી નાખ્યો છે. ગઇકાલે આ વિસ્તારમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડી જતા અનેક ચેકડેમો છલકાઇ ગયા છે. અનેક નદી નાળા વહેવા લાગતા આ સાવજોને હવે પાણી માટે ગામડાઓની અંદર ઘુસવું નહી પડે.

સાવરકુંડલા તાલુકામાં પંદરથી વધુ ગામોમાં ગઇકાલે એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા જેવી રીતે લોકો અને ખેડૂતોએ હાંસકારો અનુભવ્યો છે તેવી રીતે સાવજો માટે પણ આ વરસાદ પાણીની સમસ્યાનો હલ લઇને આવ્યો છે. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા ઘણી મોટી છે. સાવરકુંડલા-લીલીયા પંથકમાં વસતા સાવજો માટે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ હતી.

સાવજો અવાર નવાર પાણીની શોધમાં કોઇને કોઇ ગામમાં ઘુસી જતા હતાં. ગામના પાદરમાં આવેલા અવેડા સુધી સાવજોને લાંબા થવું પડતુ હતું. સાવરકુંડલાના નાળકેદારીયા, ઠવી, રબારીકા, ભમોદરા સહિત પંદર મિતીયાળા અભ્યારણ્યની આસપાસના ગામડાઓમાં અઢારથી વીસ સાવજો વસે છે. ગઇકાલના ભારે વરસાદના કારણે કુત્તીશેલ નદી બે કાંઠે વહી હતી જેને લીધે અનેક ચેકડેમ છલકાઇ ગયા હતાં. હીપાવડલીનો મોટો ડેમ પણ ભરાઇ ગયો હતો. આ તમામ ગામો આસપાસના ચેકડેમોમાં પાણી આવતા સાવજોનો પાણી પ્રશ્ન હલ થયો છે.

No comments: