Monday, June 11, 2012

ખારાપાટમાં વસતા સાવજો પર પુરનો ખતરો.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 2:29 PM [IST](11/06/2012)

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજો પર ફરી આ ચોમાસામાં ખતરો ઉભો થયો છે. અહીંના ખારાપાટ વિસ્તારમાં ચોમાસામાં શેત્રુજી તથા ગાગડીયો નદીના પાણી ભરાઇ જતા હોય ભુતકાળમાં અનેક સિંહ મોતને ભેંટ્યા છે. ન્યૂમોનીયાથી અનેક સિંહબાળના મોત થઇ ચૂક્યા છે.અહીં સાવજો માટે સલામત સ્થળ ઉભા કરવા માંગ ઉઠી છે.

ચોમાસામાં ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, શેઢાવદર, વગેરે ગામની સીમમાં ખારાપાટ વિસ્તારમાં ચોમાસાના ચાર મહીના પાણી ભરાઇ જાય છે. શેત્રુંજી તથા ગાગડીયો નદી અવાર નવાર કાંઠા તોડીને વહેતી હોય સાવજો પર ખતરો રહે છે.વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૮માં આવા પુરમાં ત્રણ સાવજો તણાઇને મોતને ભેંટ્યા હતાં. સતત પાણીના કારણે સિંહબાળનું ન્યૂમોનીયા થવાથી મોત થયાની પણ એકથી વધુ ઘટના બની છે.

ખારાપાટ વિસ્તારમાં જો માટીના ઉંચા ટીલા બનાવાય તો ભારે પુરના સંજોગોમાં આ સાવજો ત્યાં આશરો લઇ બચી શકે.પાછલા ત્રણ વર્ષથી તંત્રમાં આ બાબતે માત્ર વિચારણા જ ચાલી રહી છે.

No comments: