Friday, July 20, 2012

6 જણાએ પકડ્યો ત્યારે માંડ-માંડ હાથમાં રહ્યો અજગર.


6 જણાએ પકડ્યો ત્યારે માંડ-માંડ હાથમાં રહ્યો અજગર

Last Updated 2:18 AM [IST](18/07/2012)
રાજુલાના થોરડી ગામે આવેલ પ્રફુલભાઇ કસવાળાની વાડીમાં પાછલા ત્રણ ચાર દિવસથી એક મહાકાય અજગર આંટા મારતો હોય લોકોમાં ભય ફેલાયો હતો. અને વાડીએ જતા પણ ડર લાગતો હતો.

આ અંગે પ્રફુલભાઇએ સાવરકુંડલાના પ્રકૃતપ્રેમીઓ અને વનવિભાગને જાણ કરી હતી. પ્રકૃતપ્રેમી સતીષ પાંડે અને કશિન ત્રિવેદીએ ઘટના સ્થળે જઇ આ મહાકાય અજગરને મહામહેનતે પકડયો હતો. આ અજગર ૧૬ ફૂટ લાંબો છે. અને અંદાજિત ૫૦ કિલો વજન ધરાવે છે. ગરમીના કારણે સાપ સહિત સરિસૃપો અવારનવાર જમીનોમાંથી બહાર આવતા હોય વાડી ખેતરોમાં કામ કરતા મજુરો અને ખેડુતોને ભારે અગવડતા પડે છે.

આ મહાકાય અજગર ચારેક દિવસથી વાડીમાં આંટા મારતો હોય આ વિસ્તારમાં આવેલ ખેતરોમાં કામ કરતા મજુરોને ભય સતાવી રહ્યો હતો. આ અજગરને પકડીને પ્રકૃતપિ્રેમીઓએ બાદમાં વનવિભાગને જાણ કરતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી આરએફઓ ધાંધીયા અને સ્ટાફ દ્રારા આ અજગરને મિતીયાળાના જંગલમાં મુકત કરવામાં આવ્યો હતો.

તસવીરો : દીપક પાંધી, રાજુલા

No comments: