Monday, July 2, 2012

અમીત જેઠવા હત્યા કેસ: CBIને સોંપવા૧૦મીએ અંતિમ સુનાવણી.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:07 AM [IST](02/07/2012)

મૃતકનાં પિતાએ કોર્ટમાં આ કેસની તપાસ સીબીઆઇ કરે તેવી માંગ કરી છે : આ પ્રકરણમાં જૂનાગઢનાં સાંસદનાં ભત્રીજા સહિત ત્રણની ધરપકડ કરાઇ હતી

આરટીઆઇ કાર્યકર્તા અમીત જેઠવા હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપવાની તેના પિતાએ કોર્ટમાં માંગણી કરતા આગામી તારીખ ૧૦ અને ૧૧ મી જુલાઇના રોજ હાઇકોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે આ કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ છે.

ભારતભરમાં ચકચાર મચાવી દેનાર આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપાશે કે કેમ તેનો ખુબ જ ટુંકા સમયમાં ફેંસલો થઇ જશે. ગુજરાત હાઇકોર્ટની ન્યાયમુતિg ડી.એચ.વાઘેલા અને જે.સી.ઉપાધ્યાયની ડીવીઝન બેંચ સમક્ષ આગામી તા. ૧૦ અને ૧૧ જુલાઇના રોજ અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે.

જુનાગઢ તથા અમરેલી જિલ્લામાં વિવિધ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ખાણો સામે અદાલતના દ્રાર ખખડાવી લડતના મંડાણ કરનાર અમીત જેઠવાની હાઇકોર્ટ નજીક જ હત્યા કરી નખાયા બાદ પોલીસ દ્રારા આ બારામાં જુનાગઢના સાંસદ દિનુ બોઘા સોલંકીના ભત્રીજા ઉપરાંત કોન્ટ્રાકટ કીલર શૈલેષ પંડયા અને પોલીસ કોન્સ્ટેબલ બહાદુર વાઢેરની ધરપકડ કરી હતી.

દરમિયાન મૃતક અમીત જેઠવાના પિતા ભીખુભાઇ બાટાવાળાએ પોતાના પુત્રની હત્યામાં સાંસદ દિનુ બોઘા સોલંકીનો હાથ હોવાનું જણાવી આ તપાસ સીબીઆઇ કે તટસ્થ એજન્સીને સોંપવાની હાઇકોર્ટમાં માંગ કરતા આગામી તા. ૧૦ અને ૧૧ ના રોજ આ અંતિમ સુનાવણી હાથ ધરાનાર હોવાનું જાણવા મળેલ છે.

No comments: