Saturday, July 7, 2012

ત્રણ સાવજોએ આપસી તાલમેલથી કદાવર ધણખૂંટનો કર્યો શિકાર.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:55 AM [IST](07/07/2012)

- શિકાર માટે સાવજોએ જોકમાં બાંધેલા નબળા પશુઓને બદલે ધણખુટ પર પસંદગી ઉતારી

ગીરના ચાલાક સાવજો પશુઓના મારણ વખતે પોતાની ચાલાકી, સુઝબુઝ અને સમુહમાં શિકાર કરવામાં તાલમેલનો અદભુત પરીચય આપે છે. આવી જ એક ઘટનામાં ખાંભાના હનુમાનપરામાં શિકારે નીકળેલા સાવજોએ જોકમાં બાંધેલા ધણખુટ પર પસંદગી ઉતાર્યા બાદ તેને સીમ તરફ દોડાવી પરસ્પર તાલમેલથી તેનો શિકાર કર્યો હતો.

આ પ્રકારની ઘટનાઓ ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર જોવા મળે છે. ખાંભા તાલુકાના હનુમાનપુર ગામની સીમમાં જોકમાં પશુઓ બાંધ્યા હતા ત્યારે શિકારની શોધમાં ત્રણ સાવજો અહિં આવી ચડયા હતાં. માલધારીની જોકમાં અન્ય પશુઓની સાથે સાથે એક કદાવર ધણખુટ પણ બાંધેલો હતો. સાવજોએ શિકાર માટે નબળા પશુને બદલે તેના પર પસંદગી ઉતારી હતી.

તાલમેલથી શિકારને ફસાવવાના ભાગરૂપે એક સિંહે જોકમાં કુદી આ ધણખુટને ડરાવ્યો હતો. જેને પગલે તે ખીલો છોડાવીને ભાગ્યો હતો. ધણખુટની ભાગવાની દિશામાં અગાઉથી છુપાઇને બેઠેલા સાવજોએ સીધા જ મોઢામાં આવેલા આ શિકારને દબાવી દીધો હતો. ત્રણેય સાવજોએ કદાવર ધણખુટને ચપટી વગાડતા જ મારી નાખ્યો હતો.

No comments: