Friday, July 13, 2012

૪ દીપડાને સક્કરબાગમાં આજીવન કેદની સજા.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:50 AM [IST](13/07/2012)

ધારી ગીરપુર્વના ગામોમાં થોડા દિવસો પહેલા ચાર લોકોને ફાડી ખાનાર માનવભક્ષી ચાર દપિડાઓને આજે જસાધાર એનીમલ કેર સેન્ટરમાંથી જુનાગઢ સકકરબાગ ઝુ ખાતે આજીવન કેદમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. આ ચાર દપિડાઓએ કરમદડી, ધારી, ખાંભાના હનુમાનપરા અને દુધાળાની સીમમાં ચાર લોકોનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.

ગીરપુર્વના જંગલ વિસ્તારના ગામોમાં થોડા સમય પહેલા જુદાજુદા ચાર બનાવોમાં દપિડાએ ચાર માનવ જીંદગીને મોતને ઘાટ ઉતારી હતી. ખાંભા તાલુકાના હનુમાનપુરામાં દપિડાએ રાહુલ વાઘેલા નામના યુવાનને ફાડી ખાધો હતો. આ ઉપરાંત ધારીના લાઇનપરામાં એક દપિડાએ તેજલ નામની બાળકીનો શિકાર કર્યો હતો. તેમજ કરમદડીમાં સંતોકબેન નામના કોળી વૃધ્ધાને પણ ફાડી ખાધા હતા. અને દુધાળાની સીમમાં એક અસ્થિર મગજના હકાભાઇ નામના યુવાનને પણ ફાડી ખાધો હતો. વનવિભાગ દ્રારા આ તમામ બનાવોમાં પાંજરાઓ ગોઠવી આ માનવભક્ષી દપિડાઓને પકડીને જુનાગઢ સકકરબાગ ઝુમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.

No comments: