Wednesday, July 25, 2012

ગીરકાંઠાના સોઢાપરા સુધી માર્ગના અભાવે અનેક સમસ્યા.


ધારી,તા,રર :
ધારી તાલુકાના ગીર કાંઠે આવેલા અને અંતરિયાળ સોઢાપરા જવા માટે કોઈ માર્ગ નહીં હોવાથી ઈમરજન્સી સેવાથી વંચિત રહેતા ગ્રામજનોએ ધારી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ.
  • મામલતદારને ગ્રામજનોએ પાઠવેલું આવેદનપત્ર
  • કોઈ પ્રકારનો માર્ગ ન હોય લોકોને ઈમરજન્સી સેવા મળતી નથી
સોઢાપરાને જોડતા રસ્તા તુરત શરૂ કરવા માટે ધારીના મામલતદારને સરપંચ મુકતાબેન રાનેરા, ભાભલુભાઈ વિરાભાઈએ તાલુકા પંચાયતના સદસ્ય લાલભાઈ સુખડીયા, શહેર કોગ્રેસના પ્રમુખ અશોક પટ્ટણીના નેજા હેઠળ રજુઆત કરવા માટે વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અને આવેદન પાઠવી રજુઆત કરી હતીકે અમારો વિસ્તાર જંગલ બોર્ડરની લગોલગ હોય જેના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. સોઢાપરાથી મીઠાપુર નકકી, આંબાગાળા, મુંડીયારાયણી, ચાંચઈ સુધીના અંતરીયાળ સુધી કાચા ગાડા માર્ગ આવેલા હોય જે પણ બિસમાર હાલતમાં હોવાથી ઈમરજન્સી સેવા પણ મળતી નથી. ગામના ચકુબેન ભાનુભાઈ અને લાખાભાઈ દેગામા રસ્તાની પાયાની સુવિધાના કારણે ઈમરજન્સી સેવા પહોંચી નહીં શકતા મૃત્યુ પામતા આવા માર્ગ વિહોણા ગામમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદે રોડ બનાવવા માગણી કરવામાં આવી છે.

No comments: