Friday, July 13, 2012

દલખાણીયા રેંજમાંથી ઇજાગ્રસ્ત સિંહણ મુકત.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:04 AM [IST](12/07/2012)

- થોડા દિવસ પહેલા એક સિંહણને ગેંગરિંગનું સફળ ઓપરેશન કરાયું હતું ત્યારબાદ મુકત કરવામાં આવી હતી

ધારી ગીરપુર્વના દલખાણીયા રેંજના ક્રાંગસા રાઉન્ડમાંથી ત્રણેક માસ પહેલા ઇજાગ્રસ્ત સિંહણ નજરે ચડતા વનવિભાગ દ્રારા આ સિંહણને સારવાર અર્થે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. બાદમાં આ સિંહણ સ્વસ્થ થતા તેને જંગલમાં મુકત કરવામાં આવી હતી. ગીરપુર્વમાં થોડા દિવસ પહેલા એક સિંહણને ગેંગરીનનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને સિંહણ સ્વસ્થ થઇ જતા તેને ફરી જંગલમાં મુકત કરવામાં આવી હતી.

ત્યારે ફરી એક સિંહણ ક્રાંગસા રાઉન્ડના ખાનાનાકુટીયા જંગલ વિસ્તારમાંથી ત્રણેક માસ પહેલા એક સિંહણને ઇજાગ્રસ્ત હાલતમાં પકડવામાં આવી હતી. અને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. વેટરનરી ડૉ. હિતેષ વામજાએ જણાવ્યું હતું કે ૧૧ થી ૧૩ વર્ષની સિંહણને સાથળના ભાગે અને પીઠના ભાગે ગુમડુ થયું હોય અને સિંહણ મરણજીવન વચ્ચે ઝોલા ખાતી હોય તેને તુરત સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી અને સારવાર બાદ સિંહણ સ્વસ્થ થતા તેને ફરી જંગલમાં મુકત કરવામાં આવી હતી.

ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સ્ટાફના અમીત ઠાકર, હિતેશ ઠાકરે કામગીરી કરી હતી. થોડા દિવસ પહેલા મળી આવેલ સિંહણનું ગેંગરિંગનું સફળ ઓપરેશન કર્યા બાદ સિંહણ સ્વસ્થ થઇ જતાં તેમને સારવાર બાદ જંગલમાં મુ્કત કરાઇ હતી.

No comments: