Monday, July 30, 2012

છ સિંહણે ધોળે દી’ પાંચ પશુનો શિકાર કર્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:58 AM [IST](27/07/2012)

- વિસાવદરના ખાંભાની સીમમાં ગાયોના ધણ પર સિંહણો તૂટી પડી

વિસાવદરનાં ખાંભા ગામની સીમમાં આજે બપોરનાં સુમારે ગાયોનાં ધણ પર છ સિંહણોએ ત્રાટકી પાંચ ગાય અને એક પાડીનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી હતી.

તાલુકાનાં ખાંભા (ગીર) ગામનાં સીમ વિસ્તારમાં ભીમભાઇ ભીમાણીનાં ખેતરની સામે વનવિભાગની ચોટકીયાળી બીટનાં વાકવીરડા વિસ્તાર પાસે ભકા સવા ભરવાડ, કાના ઊકા ભરવાડ તથા કમા અમરા ભરવાડ સીતેર જેટલી ગાયોનાં ધણને આજે ચરાવવા લઇ ગયા હતા અને બપોરનાં એક વાગ્યાની આસપાસ આ ભરવાડો ભોજન ગ્રહણ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક ગાયો ભાંભરડા નાખી નાસવા લાગતા અને ભરવાડો કંઇ સમજે વિચારે ત્યાં જ સિંહણોનું ગૃપ શિકાર કરેલી ગાયોનાં મારણની મજિબાની માણતું જોવા મળતા તેને ભગાડવા હાકલા-પડકારા કરી મૂક્યા હતા. છ જેટલી સિંહણોનાં આ હુમલામાં ભકાભાઇની બે, કાનાભાઇની બે ગાય અને એક પાડી તેમજ કમાભાઇની એક ગાય મળી છ પશુધન મોતને ભેટયા હતા. આ બનાવનાં પગલે કાંસીયા રાઉન્ડનાં સિસોદીયા, ધ્રાંગડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

No comments: