Friday, July 20, 2012

અમિત જેઠવાની હત્યાનાં બે વર્ષ બાદ પણ પિતા ઝઝૂમે છે ન્યાય માટે.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 11:34 PM [IST](19/07/2012)
આરટીઆઇનો કાયદો શું છે તેનુ ખુદ સરકારી તંત્રને ભાન કરાવનાર અમીત જેઠવાની હત્યાને બે વર્ષનો સમય વીતી ગયો છે. પોલીસ દ્વારા આ બારામાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ અમીતનાં પિતા ભીખુભાઇ બાટાવાળાનાં પિતા તંત્ર સામે ઝઝુમી રહયાં છે. ન્યાય મેળવવાની વાત બાજુ પર રહી હજુ તો તેઓ પોતાના પુત્રની હત્યાનાં સાંસદ દિનુ સોલંકીને આરોપી તરીકે જોડવા માટે લડી રહયાં છે.

અમીત જેઠવાનાં હત્યારાઓ કદાચ એમ સમજતા હતા કે અમીતની હત્યા બાદ તેનો પરિવાર ચૂપ થઇ જશે. અન્ય આરટીઆઇ કાર્યકરો પણ ખો ભૂલી જઇ તેની પ્રવૃતિ અટકાવી દેશે. પરંતુ થયુ તેનાથી તદન વપિરીત આજથી બરાબર બે વર્ષ અગાઉ અમદાવાદમાં સાંજનાં સમયે હાઇકોર્ટની સામેજ ગોળીઓ ધરબી દઇ અમીત જેઠવાની હત્યા કરી નાંખવામાં આવી હતી.

ત્યારથી અત્યાર સુધીમાં તપાસનીશ એજન્સી દ્વારા અમીત જેઠવાની હત્યામાં મુખ્ય આરોપી શૈલેષ પંડયા, શિવા પાંચાણ, પોલીસ કર્મી વાઢેર, સાંસદનો ભત્રીજો શિવા સોલંકી સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. પરંતુ અમીતનાં પિતા ભીખુભાઇ બાટાવાળા જણાવે છે કે ન્યાય માટેની તેમની લડત અધુરીતો છે. બલકે એમ કહી શકાય ન્યાય મેળવવાની વાત હજુ બાજુ પર છે પરંતુ અમીતની હત્યામાં સંડોવાયેલા તમામ શખ્સોની ધરપકડ પણ નથી થઇ.

ભીખુભાઇનાં શબ્દોમાં આ હત્યામાં સાંસદ દિનુ સોલંકીની સીધી સંડોવણી છે. પોલીસ દ્વારા તે ભાજપનાં આગેવાન હોવાથી તેને છાવરવામાં આવી રહયાં છે. તેમને આ કેસમાં આરોપી તરીકે જોડવા અને સીબીઆઇને તપાસ સોંપવા માટે અદાલતમાં લડત ચાલી રહી છે.

- રાક્ષસરાજ સામે ન્યાય માટે ઝઝૂમવુ પડશે : બાટાવાળા

અમીત જેઠવાનાં પિતા ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં રાક્ષસરાજ ચાલી રહયું છે. ગુજરાતની ગાદી પર બેઠેલા સતાધીશો પાસે ન્યાયની અપેક્ષા વ્યર્થ છે. કારણ કે તેઓજ હત્યારાને છાવરી રહયા છે પરંતુ મને અદાલતમાં ન્યાય મળશે. પુરો વિશ્વાસ છે તે માટે થોડુ ઝઝૂમવુ પડશે.

No comments: