Wednesday, August 8, 2012

જૂનાગઢના સકકર બાગ ઝૂમાં ચિંકારા અને ચિત્તલ હરણનાં મોત.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated Aug 05, 2012, 02:57AM IST

- ચિત્તલનું ઇન્ફાઇટનાં કારણે મોત થયાનું પ્રાથમિક તારણ

જૂનાગઢનાં સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચિંકારા અને ચિતલ હરણનાં મોત નિપજ્યા હતાં. જેમાં ચિંકારા હરણ સારણગાંઠની બિમારીથી પીડાતું હતું. જ્યારે ચિતલ હરણનું ઇન્ફાઇટમાં ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મોત થયુ હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢ સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આજે એક ચિંકારા અને એક શીતલ હરણનાં મોત નિપજ્યા હતા. આ અંગે સકકરબાગનાં નિયામક ડીએફઓ વી. જે. રાણાએ જણાવ્યું હતું કે, ચિંકારા હરણ લાંબા સમયથી સારણગાંઠની બિમારીથી પીડાતું હતું. છેલ્લા એક સપ્તાહથી તેની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. એક સપ્તાહથી તેની સારવાર ચાલતી હતી.

દરમિયાન આજે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ચિતલ હરણોનાં ગૃપ પૈકી બે ચિતલ વચ્ચે ઇન્ફાઇટ થતાં તેમાં એક હરણ ઘાયલ થયું હતું. તેની પણ એક સપ્તાહથી સારવાર ચાલતી હતી. જોેકે, એ કારગત નીવડી નહોતી. અને શરીરનાં આંતરિક ભાગોમાં થયેલી ગંભીર ઇજા તેના માટે જીવલેણ નીવડી હતી.

આજે ઘવાયેલા ચિતલનું સારવાર દરમિયાન મોત થયુ હતું. બંન્ને હરણ પૂખ્ત વયનાં હતાં. અત્રે નોંધનીય છે કે, સક્કરબાગ ઝૂમાં વિવિધ પ્રકારનાં હરણોનાં વિશાળ સાઇઝનાં પાંજરા છે. જેમાં તેઓ મર્યાદિત છત્તાં ઉભા કરેલા નૈસિર્ગક વાતાવરણમાં વહિરી શકે. ક્યારેક હરણોનાં આ ગૃપ વચ્ચે ઇન્ફાઇટ પણ થતી હોય છે. આજ પ્રકારની ઇન્ફાઇટમાં ઘવાયેલા ચિત્તલનું મોત થયું હતું. આગામી દિવસમાં આવી ઘટનાઓ ન બને તે માટે સક્કર બાગ ઝૂના કર્મચારીઓ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવશે.

No comments: