Wednesday, August 8, 2012

અમરેલી જિલ્લામાં ૬૩મા વનમહોત્સવની ઉજવણી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated Aug 05, 2012, 01:05AM IST
- ઠેરઠેર વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા

અમરેલી જિલ્લામાં આજે ૬૩મા વન મહોત્સવની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. લીલીયા ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત લાઠી, બાબરા, રાજુલા સહિતના શહેરોમાં પણ વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લામાં ઠેરઠરે ૬૩મા વનમહેાત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાબરામાં કપીલા હનુમાનજીની જગ્યા ખાતે મામલતદારની અધ્યક્ષતામાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આરએફઓ જે.ડી.સાદીયાએ જણાવ્યું હતું કે હાલમાં વૃક્ષાેની સંખ્યા ઘટી રહી છે ત્યારે વધુને વધુ વૃક્ષાે વાવવા માટે અનુરોધ કર્યો હતો. આ તકે મામલતદાર પાઢ, પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર, વાલજીભાઇ ખોખરીયા, જીન્નતબેન અગવાન, ખીમજીભાઇ મારૂ, કાકુભાઇ ચાંવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

આવી જ રીતે ખાંભામાં પણ વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મામલતદાર, એસ.એમ.રાણવા,ભીખુભાઇ બાટાવાળા, ડીએફઓ અંશુમન શર્મા, આરએફઓ પરડવા, પરમાણંદભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાઠીમાં ભીડભંજન મહાદેવ મંદિરના પટાંગણમાં તાલુકા કક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી કોટડ, મામલતદાર વાળા, રાજુભાઇ ભુવા, મયુરભાઇ, ડેરભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અહીયા ૧૦૮ બિલ્જપત્રના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

રાજુલાના ધારેશ્વર ગામે મામલતદાર ચનીયારા, આરએફઓ બ્લોચની ઉપસ્થિતિમાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અહી વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. લીલીયામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોહનભાઇ કુંડલીયા, ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા, જે.કે.મકવાણા, આરએફઓ તુર્ક, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, બીપીનભાઇ, અશોકભાઇ સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

No comments: