Sunday, August 26, 2012

લીલિયાના ક્રાંકચ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતા સ્પીડ બ્રેકર મુકવા માગણી.



અમરેલી, તા.૧૭
લીલિયાના ક્રાંકચ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં વધારો થતાં નાના લીલિયાથી ક્રાંકચ જતા ૭ કિલોમીટરના માર્ગો પર વાહનોની અવર જવરના કારણે સિંહોની સલામતિ માટે સ્પીડબ્રેકર તેમજ સાઈનબોર્ડ મુકવા પ્રકૃતિપ્રેમીઓએ માગણી કરી છે.
  • વાહનોની અવર જવર ધરાવતા રોડ પર સાઈન બોર્ડ પણ મુકવા જરૂરી
લીલિયાના ક્રાંકચ વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. હાલમાં આ વિસ્તારમાં ૩૦ જેટલાં સિંહોનો વસવાટ થઈ ચુક્યો છે. નાના લીલિયા ચોકડીથી ક્રાંકચ જતાં રસ્તા પર સિંહ, નિલગાય, હરણ સહિતના અનેક શેડયુલીસ્ટ વન્યજીવો સતત વિહરતા જોવા મળે છે. ત્યારે આ માર્ગ પર વાહનોની અવર જવર પણ વધી છે.
થોડા સમય પહેલા વન વિભાગે ક્રાંકચ વિસ્તાર રિઝર્વ જાહેર કરી સિંહના સુરષાના કારણસર બૃહદગીરમાં સમાવેશ કરેલ છે. જેથી વન્યજીવોની સુરક્ષા માટે આ ૭ કિલોમીટરના માર્ગ પર દીશાસુચક સાઈન બોર્ડ અને સ્પીડબ્રેકર મુકવા પ્રકૃતિપ્રેમી અમઝદ કુરેશી તેમજ હિમાંશુ ભટ્ટ દ્વારા ઘટતું કરવા માગણી કરવામાં આવી છે.

No comments: