Sunday, August 26, 2012

જાબાળ, શાંતિનગરની સીમમાં ૧૦ ફૂટ લાંબો અજગર આવી ચઢ્યો.

Bhaskar News, Savarkundla | Aug 26, 2012, 00:06AM IST
પ્રકૃતિપ્રેમીઓએ વનવિભાગને સોંપતા મિતીયાળા નજીક મુકત કરાયો

સાવરકુંડલા તાલુકાના જાબાળ અને શાંતીનગર ગામની સીમમાં આવેલ એક વાડીમાં પાછલા ત્રણ ચાર દિવસથી દસેક ફુટ લાંબો અજગર આંટાફેરા મારતો હોય ખેડુતો અને મજુરોમાં ભય ફેલાયો હતો. આ અંગે પ્રકૃતિપ્રેમીઓને જાણ કરાતા તેઓએ આ અજગરને પકડીને વનવિભાગને સોંપી દીધો હતો.

જાબાળ અને શાંતીનગર ગામની સીમમાં આવેલ રાજુભાઇ શાંતીભાઇ નસીતની વાડીમાં દસેક ફુટ લાંબો અને વીસેક કિલો વજન ધરાવતો એક મહાકાય અજગર છેલ્લા ત્રણ ચાર દિવસથી વાડીમાં આંટાફેરા મારતો હોય ખેડુતો અને મજુરોમાં ભય ફેલાયો હતો. આ અંગે પ્રકૃતિપ્રેમીઓને જાણ કરવામાં આવતા અભરામપરાથી હરેશ મેસુરીયા, ભાભલુભાઇ વિકમા, નીલેષ મહેતા વિગેરે ગઇકાલે રાત્રે વાડીએ દોડી ગયા હતા.

પ્રકૃતિપ્રેમીઓએ અજગરને મહામહેનતે પકડી લીધો હતો.અને બાદમાં વનવિભાગને સોંપી દીધો હતો. હાલમાં દુષ્કાળની સ્થિતિ હોય નદી તળાવો પણ સુકાઇ ગયા હોય આ અજગર પિયતવાળા ખેતરોમાં જોવા મળે છે. વનવિભાગે આ અજગરને મિતીયાળાના વોરાવાડી તળાવ નજીક સલામત રીતે મુકત કરી દીધો હતો.

No comments: