Thursday, August 30, 2012

ગુજરાતમાં ૮માંથી ૩ રાજગીધ અમરેલીમાં.

ગુજરાતમાં ૮માંથી ૩ રાજગીધ અમરેલીમાં


Bhaskar News, Amreli  |  Aug 30, 2012, 01:06AM IST
૨૦૦પમાં ગીધની સંખ્યા ૨,૬૪૭ જ્યારે ૨૦૧૦માં ૧,૦૬પ હતી
ગીધ વસતી ગણતરીનું પરિણામ જાહેર : નામશેષ થવાના આરે આવેલા ગીધની ઘટતી સંખ્યા : ગુજરાતમાં માત્ર ૧,૦૪૩ ગીધ,વર્ષ ૨૦૧૦ કરતાં ગીધની વસતીમાં ૧૧.૩૪ ટકાનો ઘટાડો નોંધાયો


રાજ્યમાં નામ શેષ થવાના આરે આવેલા ગીધની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે. રાજ્યના વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા ગીધોની વસતી ગણતરી-૨૦૧૨ હાથ ધરાઈ હતી.જેનું પરિણામ જાહેર કરાયું છે. ગત ૨૦૦પમાં ગુજરાતમાં કુલ ૨,૬૪૭ ગીધ હતો.વર્ષ ૨૦૦૭માં તે સંખ્યા ૧,૪૩૧, વર્ષ ૨૦૧૦માં ૧,૦૬પ અને હવે ૨૦૧૨માં ગીધની સંખ્યા માત્ર ૧,૦૪૩ જેટલી જ નોંધાવા પામી છે.

ગીધની મોજણીમાં રાજ્યમાં જીપ્સ પ્રજાતિના કુલ ૯૩૮ ગીધ નોંધાયા છે.જેમાંના પ૭૭ સફેદ ગીધ અને ૩૬૧ ગિરનારી ગીધ છે.રાજ્યમાં ચારેય પ્રજાતિના કુલ ગીધ હવે માત્ર ૧,૦૪૩ જેટલા બચ્યાં છે.ગત ૨૦૧૦માં જે ગીધ વસતી મોજણી હાથ ધરાઈ હતી.તેના કરતાં આ વખતે ૧૧.૩૪ ટકાનો ઘટાડો માલૂમ પડ્યો છે.એમાં પણ સફેદ ગીધની વસતીમાં ૨૭.૨ ટકાના ઘટાડા સામે ગિરનારી ગીધની સંખ્યામાં ૩૬.૨ ટકાનો વધારો જણાયો છે.

ઉલ્લેખનીય છે કે,આ વખતે 'રાજગીધ’ તો માત્ર ૮ જેટલા નોંધાયા છે.જેમાંના પાંચ રાજગીધ જૂનાગઢ અને ત્રણ અમરેલી જિલ્લામાં જોવા મળ્યાં છે.જ્યારે 'ખેરો’ ગીધની સંખ્યા ૯૭ જેટલી છે.

ગીધ કેમ ઘટી રહ્યાં છે ?

વૈજ્ઞાનિકોના રિપોર્ટ મુજબ માંદા ઢોરને આપવામાં આવતી 'ડાયક્લો ફીનેક’દવા ઢોરના શરીરમાં જ રહી જાય છે અને જ્યારે આ ઢોર મૃત્યુ પામે છે અને ગીધ ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે ત્યારે ગીધને તે દવાની ગંભીર રીતે અસર થાય છે પરિણામે ગીધનું અસ્તિત્વ પણ હવે જોખમાયું છે.

ક્યાં,કેટલાં ગીધ છે ?

કચ્છ- ૧૮૦ (જીપ્સ ગીધ), ભાવનગરમાં ૧૦૨,અમદાવાદમાં ૮૮ જીપ્સ-૩૮ ખેરો ગીધ, મહેસાણામાં જીપ્સ ગીધ ૬૮,ખેરો ગીધ ૧૪

ગીધ મોજણી કોણે કરી ?

ગીધ ગણતરી મોજણી-૨૦૧૨માં આ વખતે આશરે ૨૨પ પ્રકૃતિવિદ્દો, પક્ષીવિદ્દો,સ્વયંસેવી સંસ્થાઓ,વન વિભાગ,ગીર ફાઉન્ડેશનના કર્મચારીઓ-અધિકારીઓએ ભાગ લીધો હતો.

No comments: