Wednesday, August 8, 2012

અમરેલીના બાબાપુરની સીમમાં બે સિંહે કર્યું ત્રણ ઘેટાનું મારણ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated Aug 04, 2012, 00:46AM IST
અમરેલી તાલુકાના બાબાપુર ગામની સીમમાં ગઇરાત્રે બે સાવજો દ્વારા ત્રણ ઘેટાનું મારણ કરવામાં આવતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ બાબાપુરની સીમમાં સાવજો દેખાયા હતાં. હાલમાં ખેતીની સીઝન ચાલી રહી હોય સાવજો છેક અહિંની સીમ સુધી પહોંચી જતા ખેડૂતોમાં ડર છે.

ઉલ્લેખનીય એ છે કે, અવાર નવાર દિપડા અને સિંહના હૂમલાથી માલધારીઓમાં ફફડાટફેલાયો છે. ત્યારે બાબા પુરમાં ગત રાત્રે બે સાવજોએ ત્રણ ઘેટાનું મારણ કરતા અને સાવજો છેક સીમ સુધી પહોંચી જતાં ખેડૂતોમાં ડર ફેલાયો છે.

No comments: