Tuesday, August 7, 2012

વન મહોત્સવ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની ગેરહાજરી.

માંગરોળ,તા,પ
ગુજરાત સરકારની વાવે ગુજરાત અંતર્ગત જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે માંગરોળમાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં એસટી ડેપોની પડતર અને બિનઉપજાવ એવી અડધો હેકટર જમીનમાં વિવિધ પ્રકારના પપ૬ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતુ. જોકે કાર્યક્રમમાં અતિથીવિશેષ આમંત્રીતો પૈકી મંત્રી કનુભાઈ ભાલાળા, એલ.ટી. રાજાણી, દિનુભાઈ સોલંકી સહિતના રાજકીય આગેવાનોની સુચક ગેરહાજરી જોવા મળી હતી.
કે.કા. શાસ્ત્રી સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆત પહેલા શાળાના છાત્રોએ પર્યાવરણ બચાવોના સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ તકે મંત્રી વાસણભાઈ આહીર, વંદનાબેન મકવાણા, માધાભાઈ બોરીચા વગેરે હાજર રહ્યાં હતા.

No comments: