Sunday, August 26, 2012

બાબરા પંથકના ખેડૂતો રોઝ, ભુંડ અને હરણના ત્રાસથી ત્રાહિમામ.


બાબરા, તા.૨૫:
બાબરા પંથકના ખેડૂતો નીલગાય, ભૂંડ અને હરણના ત્રાસથી કંટાળી ગયાં છે.આ જંગલી પશુઓથી બચવા ખેડૂતો વીજ કરન્ટ મુકી પોતાનો પાક બચાવવા પ્રયાસ કરતા હોવાનું જાણવા મળે છે.
  • કંટાળેલા ખેડૂતો દ્વારા વીજકરન્ટ મુકી પાક બચાવવા પ્રયાસ
બાબરાથી નીલવડા, વાકીયા વિસ્તારમાં નીલગાયનું પ્રમાણ વધ્યું છે.બાબરાના ગામડાઓમાંથી નિકળતી વાસાવડી ધાર અને વગડા વિસ્તારમાં અસંખ્ય નિલગાય વસવાટ કરે છે અને ઘુઘરાળા, ગમા પીપળીયા ગામે હરણ તથા રોઝનો ત્રાસ છે.બાબરાની સ્થાનિક જમીનોમાં જંગલી ભુડના ત્રાસથી ઉભા પાકમાં મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે.
હરણ, કાળીયાર, રોઝ, જંગલી ભુંડના ત્રાસથી બચવા સરકારમાં અનેક રજુઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા કંટાળેલા ખેડૂતો વીજ કરન્ટ મુકી પાક બચાવવા પ્રયાસો કરતા હોવાનું જાણવા મળે છે.ખેડૂતો પોતાની આજીવીકા એવા પાકને બચાવવા અતિરેક કરશે તો નીલગાય, હરણ જેવા પ્રાણીઓ દંતકથારૂપ થઈ જશે તેવું કહેવું ઉચીત ગણાશે.જેથી સરકાર દ્વારા તુરત ઘટતા પગલાં લેવાય તેવી માગણી ઉઠી છે. અનેક ખેડૂતો દ્વારા પાક સંરક્ષણ માટે લોખંડની કાંટાળી વાડ બનાવવા સબસીડી માંગી છે.ગુજરાતની સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવતું ન હોવાનું ખેડૂત અગ્રણી રમેશભાઈ માકાણી દ્વારા જણાવાયું છે.

No comments: