Sunday, January 31, 2016

બાબાપુરની સીમમાં 5 સાવજો આવી ચડ્યા

DivyaBhaskar News Network
Jan 11, 2016, 02:40 AM IST
અમરેલીતાલુકાના બાબાપુર તથા આસપાસના શેત્રુજી કાંઠાના વિસ્તારમાં સાવજોને કાયમી ઘર મળી ગયુ છે. અહી ક્રાંકચની જેમ મોટી સંખ્યામા સાવજો રહેતા નથી પરંતુ એક જુથનો કાયમી પડાવ છે. ગત ચોમાસામા અહી આવેલા અતિ ભારે પુરમાં કેટલાક સાવજો તણાઇ ગયા હતા. આમ છતા બચી ગયેલા સાવજો અહી વિસ્તરી રહ્યાં છે. આજે બપોરબાદ વિસ્તારમાં અચાનક પાંચ સાવજોનુ ટોળુ લોકોની નજરે ચડયુ હતુ.બાબાપુરની સીમમાં આજે એક વાડીમાં અચાનક પાંચ સાવજો બેઠેલા નજરે પડતા આસપાસના વિસ્તારમા વાયુવેગે વાત પ્રસરી જતા સિંહ દર્શન માટે ટોળા એકઠા થવા લાગ્યા હતા. બાબાપુર ગામના લોકો અને આસપાસના વિસ્તારમાંથી પણ અહી સિંહ દર્શન માટે ભીડ એકઠી થઇ હતી. જો કે લોકોના ટોળા એકઠા થતા સાવજો બાવળની કાટમા ચાલ્યા ગયા હતા.

No comments: