Sunday, January 31, 2016

ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવા વનવિભાગની અપીલ

DivyaBhaskar News Network

Jan 05, 2016, 06:03 AM IST
અમરેલીજિલ્લામાં મકરસંક્રાંતિના પર્વ પર પતંગ રસીયાઓ મોટા પ્રમાણમા પતંગ ચગાવતા હોય અને તેના કારણે પશુ પક્ષી અને માણસ પણ ઘાયલ થતા હોવાની ઘટના બનતી રહે છે ત્યારે વનવિભાગે પતંગ રસીયાઓને આયાતી અને પ્લાસ્ટિકની દોરી વાપરવા તથા પક્ષી વિહારના સમયે પતંગ ચડાવવા અપીલ કરી છે.

મકરસંક્રાંતિ માથે છે અને પતંગ રસીયાઓ મકરસંક્રાંતિની ઉજવણીમા લાગી ગયા છે. એવા સમયે દર વર્ષે મકરસંક્રાંતિ પર ઘાયલ થનારા પક્ષીઓની સેવા કરનારા લોકો પણ મેદાનમા આવી ગયા છે. ઠેરઠેર ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન પણ શરૂ કરી દેવાઇ છે. તો બીજી તરફ વનવિભાગે પણ પતંગ રસીયાઓને મકરસંક્રાંતિ પર સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને સીન્થેટીક દોરાના કારણે પશુ પક્ષીથી લઇ માણસો પણ ઘાયલ થઇ જતા હોય દર વર્ષે પ્રકારની ઘટનાઓમાં ઉછાળો જોવા મળે છે.

આયાતી પ્લાસ્ટિકના દોરાનો પતંગ ઉડાડવા માટે ઉપયોગ કરવા વનવિભાગ દ્વારા પતંગ રસીયાઓને અપીલ કરાઇ છે.

ઉપરાંત સવારના 6 થી 8 દરમિયાન પક્ષીઓ પોતાનો માળો છોડી ખોરાકની શોધમા જતા હોય અને સાંજના 5 થી 7 દરમિયાન પોતાના માળામા પરત ફરતા હોય વનવિભાગ દ્વારા સમયે સાવચેતી રાખવા પણ અપીલ કરાઇ છે. તકેદારી વચ્ચે પણ કયાંય કોઇ પક્ષી ઘાયલ નજરે પડે તો તાત્કાલિક નજીકના પશુ દવાખાને લઇ જવા અથવા પર્યાવરણ પ્રેમી સંસ્થા કે વનવિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.

No comments: