Sunday, July 31, 2016

સોરઠનાં 5 લાખ છાત્રો સિંહને બચાવવા માટેનાં શપથ લેશે

DivyaBhaskar News Network
Jul 31, 2016, 08:50 AM IST
સિંહોનાંસંવર્ધન માટેની ઝૂંબેશ વનવિભાગ ચલાવી રહ્યું છે. ત્યારે ભાવિ નાગરિકો એવા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ સિંહ બચાવવા માટે ભવિષ્યમાં ભાગ ભજવે માટે તેઓ પાસે માટેનાં શપથ લેવડાવવામાં આવનાર છે. માટે તા. 7 ઓગષ્ટનાં રોજ જૂનાગઢ, અમરેલી, સાસણ અને ગિરગઢડાની શાળાઓનાં કુલ 5 લાખ છાત્રો માટેનાં શપથ લેશે.

વનવિભાગનાં નેજા તળે છાત્રો તા. 7 ઓગષ્ટ 2016નાં રોજ સિંહ બચાવવા માટેનાં શપથ લેનાર છે. જૂનાગઢ, અમરેલી, સાસણ અને ગિરગઢડા ખાતેની વિવિધ શાળાઓમાં માટેનો કાર્યક્રમ યોજાશે. અને એકજ સમયે એક સાથે છાત્રો સિંહ બચાવવા માટેનાં શપથ લઇ રેકોર્ડ સ્થાપશે. એક સાથે 5 લાખ બાળકો એકજ બાબતનાં એકજ સમયે શપથ લે એવી પ્રથમ ઘટના હશે. આથી વર્લ્ડ રેકોર્ડઝ ઇન્ડિયા અને લીમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં તેની નોંધ લેવાય માટેની તજવીજ પણ વનવિભાગે હાથ ધરી છે. સોરઠનાં છાત્રો કે જેઓ સિંહનાં પ્રદેશમાં રહે છે. તેઓ પુખ્ત વયનાં બને ત્યારે સિંહને બચાવવા માટે કંઇક પણ કરી શકે હેતુથી વનવિભાગે કાર્યક્રમ યોજ્યો છે. જોકે, અંગે મોડે સુધી વનવિભાગનાં સુત્રો સાથે સંપર્ક સાધી શકાયો નહોતો. અભિયાનને સફળ બનાવવા વનતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે.

No comments: