Sunday, July 31, 2016

નિસર્ગ ક્લબ, લોહાણા મહાપરિષદે વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી ઉઠાવી

DivyaBhaskar News Network
Jul 27, 2016, 09:05 AM IST
નિસર્ગ ક્લબ, લોહાણા મહાપરિષદે વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી ઉઠાવી
જૂનાગઢનાઝાંઝરડા બાયપાસ નજીક આવેલ જલારામ મંદીર માં નિસર્ગ નેચર ક્લબ અને લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતીના વૃક્ષ વાવો ધરતી બચાવો 2016 અભિયાન અંતર્ગત પર્યાવરણ સમિતી અને નિસર્ગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જલારામ બાપાની પુજાઅર્ચના બાદ મંદીરના ટ્રસ્ટી કિરીટભાઇ ભિમાણીએ મહેમાનોનખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ.ટુંકા વકતવ્ય બાદ તમામ સભ્યએ વૃક્ષારોપણ કર્યુ હતુ.જેમાં કડવા લીમડા અને પીપડા સહિત્ના 30થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેને ઉછેરવાની જવાબદારી ઉઠાવી હતી. અતિથિ વિશેષ તરીકે કીરીટભાઇ ભીમાણી, પી.ટી.ઠક્કર, આલાપભાઇ પંડિત, પ્રકાશભાઇ ઠકરાર,રોહનભાઇ ઠકરાર લોહાણા પરિષદના ભાવિનભાઇ જોબનપુત્રા,તુષારભાઇ મોદી, ઇલાબેન ગોકાણી,પ્રેમલભાઇ દત્તા,રાજભાઇ સોમાણી,દિપક સંઘાણી,પ્રકાશભાઇ,યોગેશભાઇ પોપટ સહીતના હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ પર્યાવરણ સમિતિના સોરાષ્ટ્ર વિભાગની કારોબારી મીટીંગ યોજાઇ હતી. જેમાં અનિમલ હેલ્પલાઇન શરૂ કરાઇ હતી. કાર્યક્રમનુ સંચાલન ડો.પાર્થ ગણાત્રાએ કર્યુ હતુ.

No comments: