Monday, October 31, 2016

પરિક્રમા રૂટનાં રીપેરીંગની કામગીરી શરૂ

    પરિક્રમા રૂટનાં રીપેરીંગની કામગીરી શરૂ,  junagadh news in gujarati
DivyaBhaskar News Network | Oct 18, 2016, 03:50 AM IST

વન વિભાગે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી : કર્મચારીઓ કામે લાગ્યા

ગરવાગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વન વિભાગ દ્વારા હાલ પરિક્રમા રૂટનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે હાલ પ્રાથમિક તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે.

દેવદિવાળી પર યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને લઇ તૈયારીઓનો પ્રારંભ થયો છે. ગિરનાર ફરતે 36 કીમીમાં પરિક્રમા યોજાતી હોય છે. જેમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે.તેની સુખાકારી સુવિધા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. વરસાદનાં કારણે પરિક્રામ રૂટનું ધોવાણ થયું છે. પરિક્રમમાં આવતા શ્રધ્ધાળુંઓને મુશ્કેલી પડે તે માટે ડીએફઓ એસ.સિંથીલકુમારની સુચનાથી આરએફઓ એસ.ડી.ટીલાળા, હીંગરાજીયાનાં માર્ગદર્શનમાં પરિક્રમા રૂટ રીપેર કરવામાં આવી રહ્યો છે. પરિક્રામ રૂટનાં રીપેરીંગનો પ્રારંભ થયો છે. વન વિભાગ દ્વારા પ્રાથમીક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પરિક્રમા નજીક કામગીરીની ગતી વધારી દેવામાં આવશે. હાલ વન વિભાગનાં કર્મચારીઓ,મજુરોની મદદથી રૂટ રીપેર કરવામાં આવી રહ્યો છે.

રસ્તા વચ્ચેનાં ખાડા અને ધોવાણ માટીથી પુરી દેતા રસ્તાઓ નવી બની રહ્યા છે તસ્વીર-મેહુલ ચોટલીયા

નવા રસ્તા બની રહ્યાં છે

No comments: