Monday, October 31, 2016

ગિરનાર પર નાશિકનાં યાત્રીકનું મોત

DivyaBhaskar News Network | Oct 17, 2016, 04:40 AM IST
નાશિકથીપરિવાર સાથે પરિવાર સાથે પૂનમ ભરવા ગિરનારને આવેલા આધેડને હાર્ટઅેટેક આવતા મોત નિપજ્યું હતુ. બનાવ અંગે ભવનાથ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શ્રીકાંત એકનાથ સહાણે નામના આધેડ પરિવાર સાથે મહારાષ્ટ્રના નાશિકથી ગિરનાર જૈન દેરાસરમાં શરદ પૂનમ ભરવા આવ્યા હતા. મોડી રાત્રે શ્રીકાંત ભાઇને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો હતો.જેથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તબિયત વધુ લથડતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભવનાથ પોલીસે ડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

No comments: