Monday, October 31, 2016

પાંચમ સુધી પ્રવાસીઓનો ગીરમાં ધસારો જોવા મળશે

DivyaBhaskar News Network | Oct 30, 2016, 13:05 PM IST
રમણીય નજારો અને ધર્મસ્થાનોમાં દર્શનાર્થે દેશભરમાંથી ભાવિકો આવશે

ગીરજંગલ ફરી પ્રવાસીઓથી ઉભરાયુ છે. દિપાવલી પર્વના દિવસો શરૂ થતા માત્ર ગુજરાતભરમાથી નહી પરંતુ દેશભરમાથી પ્રવાસીઓ દિશામા દોડી આવ્યા છે. દર વર્ષે રીતે દિપાવલીના તહેવારના દિવસોમા ગીરમા પ્રવાસીઓનો મોટો ધસારો રહે છે. અહીનો પ્રાકૃતિક નજારો રમણીય છે. ભરપુર ચોમાસાના કારણે વનરાઇ ખીલી ઉઠી છે. ઝરણાઓ વહી રહ્યાં છે જેનો નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. જેના પગલે મોટી સંખ્યામા પ્રવાસીઓ ગીરના નજારાને માણવા આવી પહોંચ્યા છે.

ગીર જંગલમા ઠેકઠેકાણે આસ્થાના ધામ સમા ધાર્મિક સ્થળો આવેલા છે. જયાં હાલમાં કિડીયારૂ ઉભરાયુ હોય તેવી સ્થિતી છે. કમસેકમ લાભપાંચમ સુધી પ્રકારની સ્થિતી જોવા મળશે અને ત્યારબાદ પ્રવાસીઓનો ધસારો ધીમેધીમે ઓછો થશે.

No comments: