Sunday, November 30, 2014

સરકારી બાબુની સિંહદર્શનની લાલસામાં ઘાયલ વનરાજ સારવાર માટે ટળવળ્યો.!


  • Nov 25, 2014 00:06
    લીલિયાના ક્રાંકચ નજીકની ઘટનાથી વન્ય જીવસૃષ્ટિપ્રેમીઓમાં ઉગ્ર રોષ
સાવરકુંડલા : લીલીયાના ક્રાંકચ વિસ્તારના કોલર આઈડી સિંહણના પાઠડા સાવજને પગે ઈજાની સારવારમાં આવેલ વન વિભાગની ટીમને મહેસુલ વિભાગના વર્ગ-રના અધિકારીના સિંહ જોવાના શોખને કારણે મોડી રાત સુધી આ ઘાયલ સિંહની સારવાર શકય ન બનતા પ્રકૃતિપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.
સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં ર૦ આસપાસ સાવજો હરી ફરી રહ્યા છે. તો શેત્રુંજી નદીના કાંઠેથી લઈ લીલીયા ક્રાંકચના આખા નદીના પટામાં ૩૦ જેટલા નાના મોટા સિંહો કાયમી રીતે સ્થાયી થઈ ગયા છે. લીલીયા ક્રાંકચના સિંહોની હાલત તો શ્વાન કરતા પણ બદતર બની ગઈ હોય તેમ સંધ્યા ઢળ્યે આ વિસ્તારમાં ગેરકાયદે સિંહદર્શન માટે ફોરવ્હીલ ગાડીઓ અને બાઈકના જમાવડા થઈ જતા હોવાનું જાણવા મળે છે. થોડા દિવસોથી ક્રાંકચનું કોલર આઈડી સિંહણનું પાઠડું બચ્ચું પગે લંગડાતું ચાલતું હોવાથી વન વિભાગ દ્વારા આ પાઠડા સિંહને સારવાર માટેની તમામ તૈયારીઓ થઈ ચુકી હતી પણ મહેસુલ વિભાગના વર્ગ-રના અધિકારી આ સિંહને જોવાની લ્હાયમાં શેઢાવદરથી નાળિયેરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને આ અધિકારીને કારણે ધાયલ સિંહ લોકેટ ન થયો અને રાત્રીના સાડા બાર સુધી ડોકટર, રેસ્કયુ ટીમ હેરાન પરેશાન થઈ ગઈ અને પાછળથી લાઈટોના શેરડાને કારણે ચારેક જેટલા સિંહો સાથે આ ઘાયલ સિંહ ઘાસની કાટમાં છુપાઈ ગયો હતો.બપોર બાદથી મોડી રાત્રી સુધી આ સિંહની સારવાર જોવા માટે ધસારો જોવા મળતો હતો.
  • આરએફઓ અગ્રવાલ શું કહે છે?
સાવરકુંડલા ઃ આ અંગે લીલીયા ક્રાંકચના રેવન્યુના આરએફઓ અગ્રવાલનો ફોન ઉપર સંપર્ક કરીને પુછતા તેમણે જણાવ્યું હતું કે તાલુકાનો રાજા કહેવાય એ તો સિંહો જોવા આવી જ શકે અને અહીંયા તો બધા જ સિંહો જોતા હોય છે તેમાં નવાઈ શું છે ? જયારે આ અંગે ઈન્ચાર્જ એસીએફ ધાંધિયાને જાણ કરતા આરએફઓ અગ્રવાલે બુધ્ધિનું પ્રદર્શન કર્યાનો જવાબ પાઠવ્યો હતો.
  • આરએફઓ જ સિંહોની સુરક્ષા કરતા પ્રદર્શન માટે ચિંતિત
સાવરકુંડલા ઃ વન વિભાગના આરએફઓ જ સિંહોની સુરક્ષા કરતા સિંહોના પ્રદર્શન અંગે ચિંતિત હોય તેવું સમીકરણ સર્જાતા આ ધાયલ સિંહની સારવાર શકય બનેલ નથી અને સિંહોની ફોટોગ્રાફી અને હંમેશા તેની આગળ પાછળ ફરતા અમુક તત્વોને કારણે સિંહોનું અસ્તિત્વ જોખમાયું છે તે પણ વાસ્તવિકતા નકારી શકાતી નથી!

એ ઘટના દુઃખદ ઃ ધારી ડીએફઓ
સાવરકુંડલા ઃ ધારી ગીર પૂર્વના ડીએફઓ અંશુમાન શર્માએ આ મહેસુલ વિભાગના વર્ગ-રના અધિકારી સિંહોની સારવાર દરમિયાન જોવા આવ્યા હોય તો તે ઘટના દુઃખદ ગણાવી હતી અને રેવન્યુ વિસ્તારમાં સિંહોની પજવણીની વાતને આડકતરૃ સમર્થન આપ્યાનું લાગે છે.
  • પર્યાવરણ સાથે જેને સંબંધ નથી તેવાને લીધે જ વન્ય પ્રાણીઓની માઠી
સાવરકુંડલા ઃ જાણીતા પર્યાવરણ પ્રેમી મંગળુભાઈ ખુમાણે આ અંગે જણાવ્યું હતું કે જેને પર્યાવરણ સાથે સ્નાનસુતકનો સંબંધ નથી તેવા લોકોના કારણે જ વન્યપ્રાણીઓની માઠી બેઠી છે. જ્યારે વન કર્મીઓ જ વર્ગ-રના મહેસુલી અધિકારીઓને છાવરતા હોય તો કાયદો તો બધા માટે એક સરખો જ છે. મહેસુલના અધિકારી અને તેના મળતીયાઓ પર વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ તેમણે માગણી કરી હતી.

No comments: