Sunday, November 30, 2014

ખીસરી નજીકથી વનવિભાગે 'મારણ' ઉપાડીને પોતાની મનપસંદ જગ્યાએ ફેંકયુ.


  • Nov 23, 2014 00:05
  • જંગલમાં મારણ ફેંકીને કરાવાતું ગેરકાયદે સિંહદર્શન
અમરેલી : ધારીના ખીસરી ગામે વ્હેલી સવારે એક સિંહ - સિંહણ અને તેના પરિવારે ગામની વચ્ચોવચ્ચ જ એક ગાય તેમજ બે વાછરડાના મારણ કરતા નાના એવા ગામમાં ફફડાટ ફેલાયો હતો.
બે હજારની વસ્તી ધરાવતા ગામમાં વ્હેલી સવારે ખેતરે જવાના રસ્તે જ સિંહ પરિવારે કરેલા મારણ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છતા સ્ટાફ મોડો મોડો આવ્યો હોવાનુ સ્થાનીક ગ્રામજનોએ જણાવી એવો આક્ષેપ કર્યો હતો કે સિંહ પરિવારે મારણ કરેલા વાછરડા અને એક ગાય કોની માલીકીના છે.
તે જાણવાની તસ્દી લીધા વગર મારણને ગામમાંથી તેમની મનપસંદ જગ્યાએ ફેંકી આવ્યા હતા. જેથી તેમના મળતીયાઓ ગેરકાયદે સિંહદર્શન કરી શકે તેવી તેમણે જ વ્યવસ્થા ઉભી કરી આપી હોવાના આક્ષેપો ઉઠાવ્યા હતા.
વનવિભાગની ટીમ કાંઈ તપાસ કર્યા વગર જતી રહી હતી. હરરોજ મારણની ધટનાથી ગામમાં ફફડાટ ફેલાયો છે. હજુ શુક્રવારે સવારે સરસીયા ગામે સિંહ પરિવારે મારણ કર્યા બાદ ખીસરી ગામમાં આટાંફેરા માર્યા હતા. તો ધારી ગીર પુર્વેની આ ધટનાની તપાસ કરવા માંગ ઉઠી છે.

No comments: