Sunday, November 30, 2014

પાંજરું મૂક્યું દીપડાને પકડવા માટે ને કેદ થઈ ગયા વનરાજ...

Nov 23, 2014 00:06

  • બાળકી પર હૂમલો કરનાર દીપડાને પકડવા વધુ એક પાંજરૃ
ઉના : ઉનાના ખીલાવડ ગામે દિપડાને ઝડપવા માટે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં મારણની લાલચમાં સિંહ આવી જતા પુરાઈ ગયો હતો. આ ઘટનાની જાણ લોકોને થતા મોટીસંખ્યામાં લોકો સિંહને જોવા માટે ઉમટી પડયા હતા
ઉના નજીકના ખીલાવડ રોડ પર મેણ ગામની સીમમાં રહેતા કોળી છગનભાઈ મકવાણાનો પરિવાર ચારેક દિવસ પહેલા ઘરની ઓસરીમાં સુતો હતો ત્યારે રાત્રીના સમયે શિકારની શોધમાં દિપડાએ આવી તેમની પુત્રી જાગૃતિ(ઉ.વ.૧૦) પર શિકારની લાલચમાં હુમલો કરી હાથ પકડી ખેચવા લાગેલ હતો પ્ણ બાળાએ રાડારાડી કરતા દિપડો તેને છોડી નાસી ગયો હતો. આથી વનવિભાગ દ્વારા દિપડાને ઝડપવા માટે પાંજરૃ મુકયું હતું અને માનવભક્ષી દિપડાને ઝડપવા કમ્મર કસી હતી પણ ગતરાત્રે આ પાંજરામાં અચાનક જંગલમાંથી આવી ચડેલ સિંહ પાંજરામાં પુરાઈ જતા લોકો તેને નિહાળવા માટે મોટીસંખ્યામાં ઉમટી ગયા હતા. બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે ફરીથી બીજું પાંજરૃ મુકી દિપડાને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

No comments: