Sunday, November 30, 2014

૯ વર્ષ દરમિયાન જાળમાં ફસાયેલી ૪ર૭ વ્હેલને અપાયું જીવતદાન.

Nov 23, 2014 00:04

  •  સોમનાથમાં જાગૃતિ રેલી સાથે વ્હેલ શાર્ક બચાવો ઉત્સવ મનાવાયો
વેરાવળ : ગીર સોમનાથ જીલ્લાના સોમનાથ ખાતે સાગર દર્શનન ા હોલમાં વ્હેલ શાર્ક બચાવો ઉત્સવ ૨૦૧૪ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જીલ્લા કલેક્ટર સી.પી.પટેલ, ડીએસપી વાઘેલા, જી.યાદયા મુખ્ય વનસંરક્ષક જૂનાગઢ વર્તુળ સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ વગેરે નું વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બપોરે ૩.૦૦ કલાકે વ્હાલી શાર્ક જાગૃતિ રેલી શાળાના બાળો દ્વારા કાઢવામાં આવી હતી. બપોરે ૪ કલાકે શાર્ક ગીત, નાટક ગીત રજુ કરાયુ હતું. વ્હેલ શાર્ક અંગે માહિતી આપ્યા મુજબ ૨૦૦૫ થી ૨૦૧૪ સુધીમાં ૪૨૭ વ્હેલ શાર્કનો બચાવ કર્યો છે. આ અભિયાન મોરારીબાપુએ વ્હેલ શાર્કને દિકરે ગણી તેનો બચાવ કરવા અને હજારો કિલોમીટરથી આવતી દિકરીને આવકારવા જાગૃતતા લાવી હતી જેનાં કારણે જ ગુજરાત ભરના માછીમારોએ આ અભિયાનને વધાવી લીધી હતી. ૨૦૧૪- ૨૦૧૫ના વર્ષમાં કુલ ૨૭ વ્હેલ શાર્ક બચાવી છે. પ્રકૃતિ નેચર ક્લબ ના દિનેશભાઇએ વ્હેલશાર્કને બચાવતા જે નુકશાન થાય છે તેનું વળતર વધારવુ જરૃરી છે. માછીમારોના બાળકોને શિક્ષણ વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ કરી હતી. સી.પી.પટેલે પણ ગુજરાત સરકાર માછીમારો માટે કંઇ પણ કરવા તૈયાર છે તેમ જણાવ્યુ હતું.

No comments: