Sunday, November 30, 2014

જૂનાગઢ જિલ્લામાંથી 'સાસણ'ને સોમનાથમાં ભેળવવા હિલચાલ.

Nov 21, 2014 23:41
  • બિચારૃ જૂનાગઢ !! સરકારમાં કોઈ મિનિસ્ટર નહી, કોઈ અવાજ નહી... છેલ્લે વધ્યા ફક્ત કાળમીંઢના પાંણા(ગિરનાર)
જૂનાગઢ : "જૂનાગઢ બિચારૃ બની રહ્યું છે..." હા, આ શબ્દો જૂનાગઢના ભાજપના જ એક અગ્રણી કાર્યકરના છે. તેમણે કહ્યું, જૂનાગઢ જિલ્લામાંથી ગાંધીજી(પોરબંદર) ગયા, કેસર કેરી(ગિર) ગઈ, મહાદેવ(સોમનાથ ર્જ્યોિતલીંગ) ગયા, હવે સિંહ(સાસણ) જઈ રહ્યું છે. હવે જૂનાગઢ પાસે વધ્યું શું ?? કાળમીંઢના પાણાઓ..!! મતલબ કે 'ગિરનાર'.
આ શખ્દોમાં કોઈને કદાચ અતિશયોક્તી ભલે લાગતી હોય, એમાં ઘણુ-બધુ તથ્ય તો લાગે જ છે. જૂનાગઢ ખાતે ભાજપની ટોચની નેતાગીરીની હાજરીમાં સંગઠન પર્વ ઉજવાયું. તેમાં હાજર કાર્યકરો વચ્ચે ચર્ચા ચાલી, તેમા કહેવાયું, "આ વખતના મંત્રી મંડળ વિસ્તરણમાં મીનીસ્ટર અને સંસદિય સચિવ ગિર-સોમનાથ જિલ્લાના, રાજ્યસભાના સભ્ય પણ ગિર-સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાને ? ઠેંગો !!"
આ ચર્ચા ખુબ તટસ્થતાથી થઈ. સાસણ જૂનાગઢ જિલ્લાના નકશામાંથી અદ્રશ્ય થઈ રહ્યું છે. ગેઝેટ માટે થતી પ્રક્રિયા લગભગ પુરી થવામાં છે. આગામી ૧ મે ગુજરાતના સ્થાપના દિને જાહેર થશે કે, સાસણ ગિર-સોમનાથ જિલ્લામાં સમાવાયું છે.
જો કે, સાસણની પ્રજા કદાચ પોતાને તાલાળા(ગિર સોમનાથ) જિલ્લામાં સમાવાય તેવું ઈચ્છતી હશે. તેમ તેમના માટે આ સારા સમાચાર કહેવાય. પણ, કેસર કેરી અને કોસ્ટલ(દરિયા કિનારો) માટે જાણિતા બૃહદ જૂનાગઢ જિલ્લા માટે હવે સિંહ(સાસણ) એકમાત્ર ઓળખાણ હતી, તે ચાલી જશે. પછી જૂનાગઢ પાસે ફક્ત ગિરનાર અને ભવનાથ સિવાય બચશે શું ??
ગિરનાર પર રોપ વે સોરઠના રાજકારણીઓ અપાવી ન શક્યા, ચાર કે પાંચ વાર પથ્થર મૂકી રોપ વે નું શિલારોપણ કરનારાઓ પણ મુંછમાં હસતા હસતા કહેતા હોય, "મળી જશે રોપ વે યાર !!" ત્યારે જૂનાગઢની પ્રજા કાં તો ભોળી છે અથવા તો ખુબ સમજુ છે, તકની રાહ જોઈ બેસનારી ખુબ શાણી પ્રજા છે. એમ માનવું જ રહ્યું ને ??
અત્રે યાદ આપવું ઘટે કે, ૧૯૯૬ પહેલા જૂનાગઢ-પોરબંદરથી માંડી છેક ઉના સુધી 'સોરઠ' પંથકની હાક વાગતી !! તેમાં ૧૯૯૬ માં પોરબંદર જિલ્લો બન્યો અને પોરબંદર, રાણાવાવ, કૂતિયાણા એમ ત્રણ તાલુકાને સમાવાયા. પછી ર૦૧૩ માં જૂનાગઢ જિલ્લામાંથી તાલાળા, વેરાવળ, કોડીનાર, ઉનાને સાથે રાખી ગિર સોમનાથ જિલ્લાની રચનાકરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કૂલ પાંચ ધારાસભ્યો છે. જેમાં જૂનાગઢના મહેન્દ્ર મશરૃ અને કેશોદના અરવિંદ લાડાણી ભાજપના છે, જ્યારે માણાવદરના જવાહર ચાવડા, વિસાવદરના હર્ષદ રિબડિયા અને માંગરોળના બાબુભાઈ વાજા કોંગ્રેસના ધારાસભ્યો છે !!

No comments: