Sunday, November 30, 2014

જૂનાગઢથી ભાજપનું પ્રતિનિધિ મંડળ સાસણ બચાવવા આજે ગાંધીનગરમાં.


  • Nov 25, 2014 00:10
  • ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ સહિતના આગેવાનો મુખ્યમંત્રીને રૃબરૃ મળીને રજૂઆત
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાંથી છીનવાઈ રહેલા સાસણને બચાવવા માટે આવતીકાલે મંગળવારે ભાજપનું ટોચનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જઈ રહ્યું છે. ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ સહિતના આગેવાનોનું આ પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને રૃબરૃ મળીને ગિર અને ગિરનારની યુતિને અખંડ રાખવાની રજૂઆતો કરશે. બીજી તરફ આ મામલે રાજકિય મતભેદો ભૂલીને સર્વપક્ષીય લડત શરૃ કરવાનો અનુરોધ સીપીએમ દ્વારા કરાયો છે.
જૂનાગઢમાંથી ગિર સોમનાથ જિલ્લાને અલગ કરાયા બાદ હવે જૂનાગઢ જિલ્લામાંથી એશિયાઈ સિંહોની આગવી ઓળખ સમાન સાસણ પણ છીનવી લેવાની શરૃ થયેલી સરકારી કાર્યવાહી સામે સર્વત્રથી વિરોધનો સુર ઉઠયો છે. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃ, મેયર જીતુભાઈ હિરપરા, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ કોરડિયા વગેરે આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ આવતીકાલે તા.રપ ને મંગળવારના રોજ તાત્કાલીક અસરથી ગાંધીનગર દોડી જશે. તથા મુખ્યમંત્રીને રૃબરૃ મળીને ગિર અને ગિરનારની વર્ષો જૂની યુતિને અખંડ રાખવાની રજૂઆત કરશે. આ અંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃએ જણાવ્યું છે કે, બે દીકરા જુદા થાય ત્યારે સરખા ભાગ મળવા જોઈએ. સાસણની હેરાફેરી કરવાના બદલે અહી જ મામલતદાર સહિતની સુવિધાઓ આપી ગામને નમૂનેદાર બનાવવાના પ્રયાસો થાય તેવી રજૂઆત સરકારમાં કરવામાં આવશે.
બીજી તરફ સી.પી.એમ.ના બટુકભાઈ મકવાણાએ આ મામલે જિલ્લાના સાંસદો, ધારાસભ્યો અને તમામ પદાધિકારીઓ તથા હોદ્દેદારો મેદાનમાં આવીને સાસણને જૂનાગઢમાં જ રાખવાની પ્રજાને ખાતરી આપે તેવો અનુરોધ કરતા જણાવ્યું છે કે, તબક્કાવાર રીતે સોરઠના ટૂકડા કરીને આર્િથક, સામાજીક અને રાજકિય શક્તિ તોડી નાખવામાં આવી છે. હવે બચેલા જૂનાગઢને અખંડ રાખવા માટે રાજકિય મતભેદો ભૂલીને બધા આગેવાનો એક મંચ ઉપર આવીને લડત આપે તેવી અપિલ તેમણે કરી છે.
એશિયાટીક સિંહોથી જગવિખ્યાત બનેલા જૂનાગઢના સાસણ ખાતે અત્યાર સુધીમાં કરોડો લોકોએ આવીને જૂનાગઢની ગરવી ગિરનારની ગરિમા અને સિંહોની પ્રત્યક્ષદર્શી નિહાળી હોય જેના કારણે સાસણ સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર બન્યું છે.ત્યારે, જૂનાગઢના હૃદયસમા સાસણને જૂનાગઢથી વિખુટુ પાડવાની કોશિષ સામે રોષ ફેલાયો છે.

No comments: