Sunday, November 30, 2014

ટોળાંને વિખેરતા વનકર્મી સહિત બે પર વિફરેલી સિંહણ ત્રાટકી !


  • Nov 28, 2014 00:02
  • વિસાવદરના લીમધ્રા ગામે બ૫ોરે બનેલી ઘટના
વિસાવદર, રતાંગ(ગીર) :  વિસાવદર થી ૧૫ કિ.મી. દુર લીમધ્રા ગામે બરડીયા રોડ પર ધણકેડા વિસ્તારમાં આવેલી રતિભાઈ મોહનભાઈ હિરાણીની વાડીમાં સવારે છ થી સાત સિંહોનું ગ્રુપ આવેલુ.બાદમાં એક સિહણ સિવાયના તમામ સિહ જતા રહયા હતા. અને સિહણ એકલી કપાસના ખેતરમાં બેઠી હોવાના સમાચાર મળતા ગ્રામજનોના ૪૦થી વઘુના ટોળા ટુ વ્હીલર-ફોર વ્હીલરમાં ધણકેડા વિસ્તારમાં ઉમટી પડયો હતો. બપોરના ૪ વાગે વનવિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાજર ટોળાને વિખેરવા કોશીષ કરી રહયા હતા તે વખતે કપાસમાં છુપાયેલી સિહણે તરાપ મારી નજીકમાં ઉભેલા ગામના બાબુભાઈ મોહાભાઈ નાકરાણી ઉ.૬૦ અને દેડકણી રેન્જના બીટગાર્ડ જયદિપસિંહ ક્રિપાલસિંહ ઝાલા ઉ.૨૮ ઉપર હુમલો કરી હાથે-પગે બચકા ભરી વાસામાં પંજો મારી દેતા ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત વનકર્મી અને વૃધ્ધને સારવાર માટે મેંદરડાથી જુનાગઢ ખસેડાયા હતા.

  • બચ્ચાને કારણે સિહણે હુમલો કર્યો હોવો જોઈએ
વિસાવદર તા.આ અંગે દેડકણી રેન્જના આર.એફ.ઓ ડોડીયાએ જણાવ્યુ કે અહિ બે સિહણ ૩ બચ્ચા સાથે વસવાટ કરે છે. અને તેના બચ્ચા કપાસમાં છુપાવ્યા હોય અને લોકોના ટોળા જોઈને સિહણે વિફરીને હુમલો કર્યો હોય તેવી આશંકા દર્શાવી છે.

No comments: