Sunday, November 30, 2014

માળિયા (હા.) પાસેથી બાળદીપડાંનો મૃતદેહ મળ્યો.


Nov 27, 2014 00:04
માળીયાહાટીના : માળીયાહાટીનાના અમરાપુર નજીકથી વન વિભાગને એક બાળદીપડાનો મૃતદેહ મળી આવતા જરૃરી કાર્યવાહી કરી હતી.
તાલુકાના અમરાપુર(ગીર) નજીક વન વિભાગના રૃટીન રાઉન્ડ દરમિયાન આંબલગઢ રોડ પર જંગલી પશુના મૃતદેહની જાણ થતા આરએફનો પરમારને જાણ કરતા તેઓ ફોરેસ્ટર શીલુ, ડોડીયા સહીતના સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરતા ૬ થી ૮ માસના બાળદીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ અને આસપાસ તપાસ કરતા કોઈ ઈજા કે અન્ય બીજા કોઈ ચિન્હો નહી મળતા મૃતદેહનો કબ્જો લઈ આજે વહેલી સવારે સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડી મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ કરાવવામાં આવ્યું છે.પીએમ રિપોર્ટ બાદ મૃત્યું સાચું કારણ બહાર આવશે તેમ વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

No comments: