Thursday, June 30, 2016

અાજથી દુધધારા પરિક્રમાનો પ્રારંભ

  • DivyaBhaskar News Network
  • Jun 30, 2016, 05:40 AM IST
    ગિરનારનીલીલી પરિક્રમા પહેલા દુધધારાની પરિક્રમા થાય છે. આવતી કાલે સવારનાં 6 વાગ્યાથી ગિરનારની દુધધારાનો પ્રારંભ થશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

    ગિરનાર પર્વતની બે પરિક્રમા યોજાય છે. પરંતુ સૌથી મહત્વની અને પ્રચલીત ગિરનારની લીલી પરિક્રમા છે. પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. ગિરનારની એક આવી પરિક્રમા યોજાય છે. જે દુધધારા પરિક્રમા તરીકે ઓળખાય છે. પરિક્રમા માત્ર એક દિવસની હોય છે. ગિરનારની દુધધારા પરિક્રમાનો આવતીકાલે સવારે 6 કલાકેથી પ્રારંભ થશે. પરિક્રમામાં મેયર જીતુ હિરપરા જોડાશે. લીલી પરિક્રમાની જેમ દુધધારાની પરિક્રમા ખુબ પ્રાચીન છે, પરંતુ તેમાં ઓછા લોકો જોડાય છે.

No comments: